દેશ આજે પોતાનો 79મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે. આઝાદ હિન્દુસ્તાને 78માં વર્ષોમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે. સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન, અનેક આંદોલન, વર્ષો સુધી સંઘર્ષ બાદ દેશને આઝાદી મળી. આ સ્વતંત્રતા પર્વ પર આવો જાણીએ જેમણે પોતાનો જીવ જોખમમાં નાખીને પાકિસ્તાનમાં રહીને ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. એવાં 7 જાસૂસો જેમણે દેશ માટે ઘણું કર્યુ.
ભારતીય જસૂસ
આજે તમને ભારતના 7 ફેમસ જાસૂસો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેમણે પાકિસ્તાનમાંરહીને તેને કંગાળ કરી દીધો અને ભારતને આતંકવાદ વિરોધી અભિયાનોમાં મદદ કરી. દેશથી પ્રેમ એટલો કે આંતકવાદીઓને રાખનાર એવાં દેશમાં મુસ્લિમ બનીને 7 વર્ષ સુધી ત્યાં રહ્યા.
Also Read
Independence Day 2025: અટકી ગઇ..લટકી અને ભટકી ગઇ હતી..સેમિકન્ડક્ટરને લઇને લાલ કિલ્લા પરથી બોલ્યા પીએમ મોદી
FASTag Annual Pass: સ્વતંત્રતા દિવસ પર હવે હાઇવે પર વારંવાર પેમેન્ટ કરવાની ઝંઝટમાંથી આઝાદી, 3 સરળ પગલાંમાં સક્રિય થશે FASTag વાર્ષિક પાસ
79 Independence Day 2025 : 'આત્મનિર્ભરતા થકી જ શક્ય આર્થિક વિકાસ' લાલ કિલ્લા પરથી પીએ મોદીનો સંદેશ
રવીન્દ્ર કૌશિક
The Black Tigerના નામથી જાણીતા રવીન્દ્ર કૌશિક ભારતના સૌથી મહાન જાસૂસોમાંથી એક છે. માત્ર 23 વર્ષની ઉંમરમાં તેમને પાકિસ્તાન મોકલવામાં આવ્યા. ત્યાં રહીને ઓળખાણ બદલી,કરાંચી યુનિવર્સિટીથી સ્નાતકની ડિગ્રી લીધી અને પાકિસ્તાની સેનામાં અધિકારી બન્યા. 1983માં તે પકડાઇ ગયા અને તેમને જેલમાં ધકેલ્યા 2001માં તેમનું મૃત્યુ થયું.
અજીત ડોભાલ
વેશ બદલવામાં માહિર ભારતના હાલના NSA અજીત ડોભાલને ભારતના James Bond કહેવામાં આવે છે. તેઓ 7 વર્ષથી વધારે સમય સુધી પાકિસ્તાનમાં મુસ્લિમ બનીને રહ્યા અને ઘણી બધી માહિતી જાણીને એકઠી કરી. તેમની આ જ સમજ અને બહાદુરીએ ભારતને આતંકવાદ વિરોધી અભિયાનમાં મદદ કરી.
મોહનલાલ ભાસ્કર
મોહનલાલ ભાસ્કર એક રો એજન્ટ હચા 1960ના દાયકામાં તેઓ પાકિસ્તાન ગયા હતા. પરંતુ ત્યાં તેમને પકડી લેવામાં આવ્યા અને જેલમાં નાખીને હેરાન કરવામાં આવ્યા. 14 વર્ષ પાકિસ્તાની જેલમાં વિતાવ્યા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા.
કશ્મીર સિંહ
કશ્મીરપ સિંહ એક અંડર કવર એજન્ટ હતા. જે 1970ના દાયકામાં પાકિસ્તાન ગયા હતા.તેમને પકડીને મોતની સજા સંભળાવવામાં આવી પરંતુ સજા પૂરી ન થઇ. 25 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ 2008માં તેઓ ભારત પાછાં ફર્યા.
ગોપાલદાસ
ગોપાલદાસે 1984માં પાકિસ્તાનમાં પકડી લેવામાં આવ્યા હતા અને તેમણે 27 વર્ષ જેલમાં વિતાવ્યા. તેમની પર જાસૂસીનો આરોપ લાગ્યો અને તે મામલે વધુ જાણકારી નહોતી. 2011માં ભારત પાછા ફર્યા બાદ તેમણે જાસૂસીની વાત સ્વીકારી હતી.
સુરજિત સિંહ
1981માં પાકિસ્તાનમાં જસૂસી કરવા ગયા ત્યારે તેમને પકડી પાડવામાં આવ્યા હતા. સુરજિત સિંહે 30 વર્ષ જેલમાં વિતાવ્યા. 2012માં ભારત આવ્યા બાદ તેમને ખુલ્લેઆમ ભારત માટે જાસૂસી કરવાની વાત સ્વીકારવામાં આવી.
નીરા આર્યા
નીરા આર્યા ભારતની પહેલી મહિલા જાસૂસ હતી. તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વ વાળી INA માટે જાસૂસી કરી અને સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું યોગદાન આપ્યું.










