જયપુરમાં યોજાયેલા એક પ્રદર્શન દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો. ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકે પર અજાણ્યા યુવકે થપ્પડ મારવાની ઘટના બાદ પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ. આ ઘટનાએ પ્રદર્શનના વાતાવરણને ગરમાવી દીધું અને ત્યારબાદ દીપકે આંદોલનને વધુ તેજ કરવાની જાહેરાત કરી.
20 જૂનના રોજ ફરીથી 'દિલ્હી કૂચ' કરીશું
જયપુરમાં પ્રદર્શનકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે પાર્ટી 20 જૂનના રોજ ફરીથી 'દિલ્હી કૂચ' કરશે અને આ વખતનો આંદોલન વધુ આક્રમક રહેશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ વખતે તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે દિલ્હી જશે અને ત્યાંથી રાજીનામા વિના પાછા ફરશે નહીં. તેમના આ નિવેદનથી સભામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાર્યકરોમાં ઉર્જાનો માહોલ સર્જાયો હતો.













