અમદાવાદમાં ગુરુવારે ક્રેશ થયેલા એર ઈન્ડિયાના પ્લેનમાં 242 લોકો હાજર હતા. જેમાંથી 241 લોકોના મોત નિપજ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અમદાવાદ પહોંચ્યા અને ઘટનાના સ્થળની મુલાકાત લીધી. આ વચ્ચે એર ઈન્ડિયા તરફથી મોટુ અપડેટ સામે આવ્યું છે. આ ઘટનાથી અસરગ્રસ્ત લોકો માટે હેલ્પ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એર ઈન્ડિયાએ સોસિયલ મિડીયા દ્વારા આ ઘટના અંગે જાણકારી આપી છે.
એર ઈન્ડિયાએ એક્સ પર જણાવ્યું હતું કે એર ઈન્ડિયાએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ગેટવિક એરપોર્ટ્સ પર ફ્રેન્ડ્સ અને ફેમિલી અસિસ્ટન્ટ સેન્ટર બનાવ્યું છે. ફ્લાઈટ A/171ના લોકોના પરિવારના મેમ્બરો અહીંથી મદદ લઈ શકશે. આ સેન્ટર અમદાવાદના પરિવારોના મેમ્બરોને સુવિધા પ્રદાન કરશે.













