ગઇકાલે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં મોટી દુર્ઘટના બની. પ્લેન ક્રેશ થઇ ગયું. જે બાદ આજે સવારે 5 વાગેને 20 મિનિટે મુંબઇથી લંડન જતુ પ્લેન પણ ટેક ઓફ થયાના થોડા સમય બાદ જ પરત આવ્યું. આનું કારણ શું છે આવો જાણીએ.


મુંબઇ પરત ફરી ફ્લાઇટ 

ઇરાન પર ઇઝરાયલે હુમલો કર્યો. જે બાદ ઇરાનનો એરપોર્ટ વિસ્તાર બંધ થઇ ગયો હતો. આ કારણોસર એર ઇન્ડિયાની ફ્લાઇટ AIC129 આજે સવારે શિડ્યુઅલ ટાઇમ કરતા 19 મિનિટ મોડી એટલે કે 5 કલાકેને 39 મિનિટ પર મુંબઇથી લંડન માટે ઉડાન ભરી હતી. પરંતુ હવે આ ફ્લાઇટ મુંબઇ પરત ફરી રહી છે.

કેમ ફ્લાઇટ પરત આવી? 

મહત્વનું છે કે ઇરાને ઇઝરાયલ પર હુમલો કર્યો જે બાદ ઇરાને એરસ્પેસ બંધ કરી દીધુ, આ કારણોસર તે રૂટ પરથી આવનારી તમામ ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી રહી છે . આ ઉપરાંત જ્યાંથી ટેક ઑફ કર્યુ હોય તે જગ્યાએ પરત ફરવુ પડી રહ્યું છે.

ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ 

ફ્લાઇટરાડાર 24ના આંકડા મુજબ ઇઝરાયલ તરફથી ઇરાન પર ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યા બાદ શુક્રવારના રોજ એરલાઇન્સે ઇઝરાયલ, ઇરાન અને ઇરાકની ઉપરથી પોતાના હવાઇ ક્ષેત્રને ખાલી દીધો છે. યાત્રિકો અને પાયલટને સુરક્ષિત રાખવા માટે એરલાઇન્સ ફ્લાઇટ ડાયવર્ટ અથવા તો રદ કરી રહ્યા છે. દુનિયા ભરમાં વધતા સંઘર્ષ ક્ષેત્ર એરલાઇન પરિચાલનને લઇને ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. ખાસ કરીને યાત્રીઓની સુરક્ષા માટે એવી મિસાઇલ અને ડ્રોન અટેક ચિંતાનો વિષય બની રહ્યું છે.


  • Follow us on: