કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહાર ચૂંટણી પહેલાં દરભંગા પહોંચ્યા હતા. તેમણે બુધવારે એટલે કે 29 ઓક્ટોબરે જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે કોંગ્રેસ અને લાલુ કંપની એટલે કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવની ચાલતી તો જમ્મુ કશ્મીરથી ક્યારેય ધારા 370 ન હટતી. તેમણે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કામ ગણાવતા રામ મંદિર અને દેશમાં બનેલી આતંકી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો.


મોદીએ એ પણ સુનિશ્ચિત કર્યું છે કે દરેક ગરીબ વ્યક્તિને ઘર મળે

અમિત શાહે કહ્યુ કે અમે મિથિલાના સમ્માન માટે ઘણા પ્રયાસો કર્યા, મૈથિલી ભાષાને આઠમી અનુસૂચિમાં રાખ્યા. મધુબની પેઇન્ટિંગ ને જીઆઇ ટેગ આપ્યો, મખાના બોર્ડની સ્થાપના પણ કરી. અહિંયા ભવ્યા સીતા માતાનુ મંદિર બનાવવા જઇ રહ્યા છે. 500 વર્ષ પહેલાથ રમાલલ્લા ટેન્ટમાં હતા. અમે અયોધ્યામાં રામલલ્લાનુ ભવ્ય મંદિર બનાવવાનુ કામ કર્યુ.  તેમણે વધુમાં કહ્યુ કે પીએમ મોદીના નેતૃત્વમાં, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6,000 આપવામાં આવે છે. દેશના ગરીબો માટે ₹5 લાખ સુધીની મફત તબીબી સારવાર પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોદીએ એ પણ સુનિશ્ચિત કર્યું છે કે દરેક ગરીબ વ્યક્તિને ઘર મળે.

કોંગ્રેસ પર શાહે સાધ્યુ નિશાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ પર સાધ્યુ નિશાન, સભા દરમિયાન તેમણે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી અને લાલુ એન્ટ કંપનીએ ધારા 370ને વર્ષોથી બચાવીને રાખી હતી. પીએમ મોદીએ ધારા 370 હંમેશા માટે સમાપ્ત કરી. એક એવો જમાનો હતો કે જ્યારે આતંકવાદી ભારતની ભૂમિ આતંક ફેલાવી લોકોના લોહી વહાવીને જતા રહેતા, કોઇ જવાબ નહોતો મળતો. આજે પીએમ મોદીના નેતૃત્વમાં અમે આતંકવાદીઓને ઘરમાં ઘુસીને માર્યા છે. નરેન્દ્ર મોદીએ દેશમાં આતંકવાદ સામે જોરદાર જવાબ આપવાની પરંપરા શરૂ કરી.



  • Follow us on: