બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી છે. પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે પ્રચાર પ્રસાર તેજ બન્યો છે. ત્યારે આજે પીએમ મોદીએ મુઝફ્ફરપુરના મોતીપુરમાં જાહેર સભાને સંબોધિત કરી.  તેઓએ કહ્યું કે છઠ્ઠ મૈયાની પૂજામાં માની ભક્તિ છે. છઠ પૂજા બિહાર જ નહીં પણ આખા દેશનું ગૌરવ છે. છઠને યુનેસ્કોની લિસ્ટમાં સામેલ કરાવીશું, ભારત સહિત દુનિયાભરમાં છઠ પર્વનું ગૌરવ વધારીશું.



વિકસિત ભારત માટે વિકસિત બિહાર જરૂરી - પીએમ મોદી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આરજેડી હિંસા, ક્રૂરતા, અસભ્યતા, ભ્રષ્ટાચાર અને કુશાસન તરીકે ઓળખાય છે. હિંસા અને ક્રૂરતાના શાસનમાં કાયદો નિષ્ફળ જાય છે. જ્યાં આ વસ્તુઓ અસ્તિત્વમાં છે ત્યાં વિકાસ નિષ્ફળ જાય છે. તેમણે બિહાર સાથે દગો કર્યો છે. બિહાર તેનું અપમાન કરનારાઓને માફ કરશે નહીં. વિકસિત ભારત માટે વિકસિત બિહાર જરૂરી છે.


  • Follow us on: