ભારતીય રેલવે મુસાફરો માટે એક વધુ નવી સુવિધા લઈને આવ્યું છે. બિહારના દાનાપુર અને મહારાષ્ટ્રના પુણે વચ્ચે હવે નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' સાપ્તાહિક ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન 27 જૂનથી નિયમિત રીતે દોડશે, જેના કારણે બંને રાજ્યો વચ્ચેની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે.


પુણેથી આ ટ્રેન દર શનિવારે બપોરે 3:25 વાગ્યે રવાના થશે

આ ટ્રેનને નંબર 11431 (પુણેથી દાનાપુર) અને 11432 (દાનાપુરથી પુણે) આપવામાં આવ્યો છે. પુણેથી આ ટ્રેન દર શનિવારે બપોરે 3:25 વાગ્યે રવાના થશે અને ત્રીજા દિવસે રાત્રે 1:30 વાગ્યે દાનાપુર પહોંચશે. રિટર્નમાં દાનાપુરથી આ ટ્રેન દર સોમવારે રાત્રે 3:30 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે 11:05 વાગ્યે પુણે પહોંચશે.

કયા સ્ટેશન પર ઉભી રહેશે ટ્રેન?

સફર દરમિયાન આ ટ્રેન દૌંડ કોર્ડ લાઈન, અહિલ્યાનગર, બેલાપુર, કોપરગાંવ, મનમાડ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, પિપરિયા, નરસિંહપુર, જબલપુર, કટની, મેહર, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર અને આરા જેવા મહત્વના સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં કુલ 18 કોચ હશે, જેમાં 8 સ્લીપર કોચ, 7 જનરલ કોચ, 1 પેન્ટ્રી કાર અને 2 SLRD કોચનો સમાવેશ થાય છે. 

બુકિંગ 22 જૂન 2026થી શરૂ થયું

મુસાફરોની સુવિધા માટે ટ્રેનમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેન માટે બુકિંગ 22 જૂન 2026થી શરૂ થઈ ગયું છે. મુસાફરો IRCTC વેબસાઇટ અથવા RailOne એપ દ્વારા સરળતાથી ટિકિટ બુક કરી શકે છે. ટ્રેનના સમય અને સ્ટોપ અંગે વિગતવાર માહિતી માટે NTES એપ પણ ઉપયોગી રહેશે. નવી અમૃત ભારત એક્સપ્રેસથી દાનાપુર અને પુણે વચ્ચેની મુસાફરી વધુ સુગમ બનશે.

આ પણ વાંચો : Pune Ketan Murder Case: સિયા અને ચેતન વચ્ચે 2004 કોલ અને 238 કલાકની થઇ હતી વાતચીત


  • Follow us on: