બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ચૂંટણી રેલીઓની શરૂઆત પણ હવે થઈ ચૂકી છે. વડાપ્રધાન મોદી સહિત દેશના ઘણા મોટા નેતાઓ પણ સતત બિહારનો પ્રવાસ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ બિહારનો પ્રવાસ કરીને મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
અમિત શાહ જાનકી મંદિર સાથે જોડાયેલા પુન:વિકાસ પ્રોજેક્ટની આધારશિલા મુકશે
તમને જણાવી દઈએ કે 8 ઓગસ્ટ શુક્રવારે અમિત શાહ સીતામઢી જઈ રહ્યા છે, જ્યાં તે જાનકી મંદિરના પુન:વિકાસની આધારશિલા મુકશે, આ પ્રવાસ દ્વારા સીતામઢી સહિત તિરહુત મંડલના 6 જિલ્લાની 49 સીટ પર પણ નજર રહેશે. અમિત શાહ પહેલા દરભંગા પહોંચશે અને ત્યાંથી તે સીતામઢી જિલ્લાના પુનોરાધામ જશે. જ્યાં તે 882.87 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બની રહેલા જાનકી મંદિર સાથે જોડાયેલા પુન:વિકાસ પ્રોજેક્ટની આધારશિલા મુકશે. આ જગ્યાને દેવી સીતાનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ સમારોહમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને ઘણા કેન્દ્રીય મંત્રી પણ સામેલ થશે. લગભગ 67 એકરમાં આ ભવ્ય મંદિરને તૈયાર કરવામાં આવી રહ્યું છે. 11 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની યોજના બનાવવામાં આવી છે. આ મંદિરની અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની જેમ જ બનાવવામાં આવી રહ્યું છે.
18 જુલાઈએ વડાપ્રધાન મોદીએ પણ બિહારનો પ્રવાસ કર્યો હતો
તિરહુત મંડલમાં 6 જિલ્લા આવે છે, જેનું મુખ્યાલય મુજફ્ફરપુર છે. આ 6 જિલ્લામાં સીતામઢી સિવાય મુજફ્ફરપુર, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, વૈશાલી અને શિવહર સામેલ છે. આ 6 જિલ્લામાં વિધાનસભાની કૂલ 49 સીટ આવે છે. ગયા મહિને 18 જુલાઈએ વડાપ્રધાન મોદીએ પણ આ વિસ્તારનો પ્રવાસ કરી ચૂક્યા છે. આ મંડલને ભાજપ અને એનડીએના મજબૂત કિલ્લામાં સામેલ કરવામાં આવે છે. અમિત શાહનો પ્રયત્ન 2020ના પ્રદર્શનને બનાવી રાખવાનો અને વધુ સારો કરવાનો છે. મુજફ્ફરપુર જિલ્લામાં NDAની પકડ મજબૂત માનવામાં આવે છે, તેમને 11માંથી 6 સીટ પર જ જીત હાંસિલ થઈ હતી.