બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025 માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં વોટબેંક પોતાની તરફ રાખવા માટે રાજકીય પક્ષો તમામ પ્રયત્નો કરી રહ્યા છે. બિહારમાં વિધાસભા ચૂંટણીની સાથે લાલૂ પ્રસાદ યાદવનો પરિવાર પણ ચર્ચામાં છે. તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અનુષ્કા યાદવ સાથેના પ્રેમ સંબંધોને લઇને ચર્ચામાં આવ્યા છે. આ પ્રેમ સંબંધ બહાર આવ્યા બાદ તેમને પરિવાર, ઘર અને પક્ષમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે.


તેજ પ્રતાપનું આરજેડી પર નિશાન

તેજ પ્રતાપ યાદવે પોતાનું સ્થાન રાજનીતિમાં સ્વતંત્ર અને મજબૂત બનાવવા માટે નવી શરૂઆત કરી છે. તેઓએ પ્રદીપ નિષાદ સાથે ગઠબંધન કરીને નવી પાર્ટીની સ્થાપના કરી છે. 'ટીમ તેજ પ્રતાપ'ના બેનર હેઠળ પ્રદીપ નિષાદ સાથે નવી ગંઠબંધન પાર્ટી શરૂ કરી છે. તેજ પ્રતાપે VVIP સહિત પાંચ પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને આરજેડી પર નિશાન સાધ્યુ છે. પણ ઉપેન્દ્ર કુશવાહાની જેમ આ શરૂઆતની સાથે તેજ પ્રતાપની રાજનીતિ જોખમ ભરેલી જોવા મળી રહી છે. તેજ પ્રતાપે આરજેડી પર પ્રહાર કરતા મહુઆ બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યુ છે. આ જાહેરાતની સાથે તેજસ્વી સામે મોટા ભાઇએ મોર્ચો ખોલ્યો છે.

રાજનૈતિક રાહ અનિશ્ચિતઃ નિષ્ણાંતો

બિહારની રાજનીતિમાં લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે વિરોધના સુર ઉઠાવ્યા છે. આરજેડીમાંથી 6 વર્ષ માટે બહિષ્કાર કર્યા બાદ તેઓએ પોતાની નવી પાર્ટી સ્થાપિત કરી છે. પરંતુ પાર્ટીની શરૂઆતમાં તેઓએ જે પ્રમાણે વિરોધ કરવાનું શરુ કર્યુ છે. તેને જોતા ઉપેન્દ્ર કુશવાહાને લોકો યાદ કરી રહ્યા છે. તેમના નકશા અને માર્ગ પર તેજ પ્રતાપ ચાલી રહ્યા હોય તેમ દેખાઇ રહ્યુ છે. તેજ પ્રતાપ યાદવ સામે અસલી પડકાર તેજસ્વીની લોકપ્રિયતા અને આરજેડીનું મજબૂત સંગઠન છે. રાજનૈતિક નિષ્ણાંતો જણાવે છે કે, તેજ પ્રતાપની રાહ અનિશ્ચિત છે. તેજસ્વી યાદવ જો મુખ્યમંત્રી બને છે તો પરિવારમાં સમજૂતી સધાઇ શકે છે. 

  • Follow us on: