લાલૂ પ્રસાદ યાદવે તેના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પાર્ટી, પરિવાર અને સંપત્તિમાંથી બેદખલ કર્યો છે. ત્યારથી તેજ પ્રતાપ આક્રમક મૂડમાં દેખાઇ રહ્યા છે. તેમની આક્રમકતા બિહારની રાજનીતિ અને લાલૂના પરિવાર માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. તેજ પ્રતાપે તેના પરિવારના સભ્યોને અનફોલો કર્યા છે. અને સાથે જ આરજેડી પક્ષનો ઝંડો પણ કાર પરથી કાઢી લીધો છે.


સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં બેઠક

બિહારમાં તેજ પ્રતાપ યાદવે સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં લાંબા સમય સુધી બેઠક યોજી હતી. આ મુલાકાત બાદ બિહારમાં ફરી ચર્ચાનો દૌર શરૂ થયો છે. એક કલાક ચાલેલી આ બેઠકમાં આગામી ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેજ પ્રતાપની આ બેઠક નવી પાર્ટી તરફ ઇશારા કરતા હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યુ હતુ. પણ શુ તેજ પ્રતાપ યાદવ સમાજવાદીપાર્ટીનો સાથ લેશે. તે મામલે પ્રશ્ન ઉભા થયા છે. અગાઉ પણ અખિલેશ યાદવ અને તેજ પ્રતાપ યાદવ વચ્ચે વાતચીત થઇ ચુકી છે.

રાજનીતિમાં મોટા ફેરબદલના સંકેત

તેજ પ્રતાપ યાદવના સમાજવાદી પાર્ટી સાથેના સંવાદને રાજનીતિમાં મોટા ફેરબદલના સંકેત તરીકે જોવા મળી રહ્યા છે. ચોમાસુ સત્ર દરમિયાન તેજ પ્રતાપે કહ્યુ હતુ કે, તેમની કાર પર તેજ પ્રતાપનો ઝંડો છે. અને સાથે જ મહુવાથી ચૂંટણી મેદાનમાં ઉતારવાનું કહ્યુ હતુ. તેજ પ્રતાપ યાદવ હાલ આરજેડીમાંથી સસ્પેંડ કરાયા છે. અને સાથે તેઓ પોતાના પરિવાર વિરુદ્ધ પ્રહાર કરવાનું પણ ચુકતા નથી. પરંતુ જે રીતે તેજ પ્રતાપ અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી સાથે વાતચીત કરી રહ્યા છે તે હવે અનેક પ્રશ્નોને જન્મ આપી રહ્યા છે. 

  • Follow us on: