મેસેજિંગ એપ ટેલિગ્રામ પર લાગેલા અસ્થાયી પ્રતિબંધને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે કોર્ટમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકારનું કહેવું છે કે ટેલિગ્રામ આતંકવાદી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સૌથી સરળ અને અનુકૂળ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. ટેલિગ્રામ દ્વારા પ્રતિબંધ સામે કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે અને મામલો હાલમાં ન્યાયિક વિચારણા હેઠળ છે.
ટેલિગ્રામના પ્રતિનિધિઓને તેમની વાત રજૂ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવી
સુનાવણી પહેલાં સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે સરકાર તરફથી આ કેસમાં વિગતવાર જવાબ કોર્ટ રજિસ્ટ્રીમાં દાખલ કરવામાં આવ્યો છે. આ જવાબ સત્તાવાર રેકોર્ડનો ભાગ બન્યા બાદ કેસની આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. સરકારે કોર્ટને એ પણ જણાવ્યું કે ટેલિગ્રામના પ્રતિનિધિઓને તેમની વાત રજૂ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવી હતી. તેમની રજૂઆતો અને ત્યારબાદ થયેલી તપાસના તારણો પણ રેકોર્ડમાં નોંધવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલાની સમીક્ષા એક ઉચ્ચસ્તરીય સમિતિએ કરી હતી, જેનું નેતૃત્વ કેબિનેટ સચિવે કર્યું હતું.













