ઉત્તરાખંડના ધરાલી ગામમાં અચાનક આવેલા પૂર પછી બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતીય સેના પણ બચાવકાર્યમાં જોડાઈ છે. વાયુસેનાના MI-17 અને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્કયુ કરી સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત SDRF ની ડોગ સ્ક્વોડ પણ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવામાં રોકાયેલી છે. બચાવ ટીમે 2 દિવસમાં 650 વધુ લોકોને બચાવ્યા છે. લગભગ 300 લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે. તેમને સુરક્ષિત રીતે બચાવવા માટે યુદ્ધના ધોરણે કાર્ય ચાલી રહ્યું છે.


અગ્નિવીરનું છલકાયું દર્દ

હર્ષિલમાંથી રેસ્કયુ કરાયેલા એક સૈનિક સોનુ સિંહે ઘટનાને લઈને ભારે દુઃખ વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે મને બચવાની આશા નહોતી. આ સૈનિક ઉત્તરાકાશીમાં વાદળ ફાટવાની દુર્ઘટનામાં રેસ્કયુ ટીમમાં જોડાયા હતા અને ત્યાં જઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો અને હું અને મારા સાથી નદીમાં વહી ગયા. મારા 8 સાથીઓ હજુ પણ ગુમ છે. સિંહે દુખ સાથે કહ્યું કે, "મેં મારા સાથીઓને તરતા જોયા. મારા જેવા વધુ અગ્નિવીર હતા, પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી."

યુદ્ધના ધોરણે બચાવકાર્ય ચાલુ

ઉલ્લેખનીય છે કે ઉતરકાશીમાં વાદળ ફાટવાની દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે બચાવકાર્ય ચાલુ છે. શુક્રવાર સાંજ (8 ઓગસ્ટ) સુધીમાં કુલ 154 જેટલા લોકોને હર્ષિલથી રેસક્યુ કરાયું. અને 121 લોકોને ચિન્યાલિસૌર એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જયારે ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલમાં 7 સૈનિક અને 2 નાગિરકોને તબીબી સારવાર અપાઈ રહી છે. જેમાંથી 1ની હાલત ગંભીર હોવાથી તે ICUમાં છે. તો કેટલાક લોકોને AIIMS ઋષિકેશ અને દેહરાદૂન હોસ્પિટલોમાં રિફર કરાયા છે. કુદરતી આપદાને લઈને હવામાન વિભાગને ઉત્તરાખંડને પ્રાથમિકતા આપતા રડાર ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્દેશ કર્યો છે. મિશન મૌસમ હેઠળ રાજ્યના અન્ય મહત્વપૂર્ણ વિસ્તારોમાં વધુ ડોપ્લર રડાર સ્થાપિત કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.


  • Follow us on: