મધ્યપ્રદેશમાં 22 બાળકોના મોતનું કારણ બનેલી ઝેરી કફસિરફ Coldrifના કેસ મામલે તપાસમાં વધારો થયો છે. EDએ મની લોન્ડ્રિંગ હેઠળ કાર્યવાહી કરતા સોમવારે ચેન્નાઈમાં 7 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીની આ કાર્યવાહી શ્રીસન ફાર્માની વિરૂદ્ધ મધ્યપ્રદેશ પોલીસની FIR અને તમિલનાડુમાં લાંચ મામલે દાખલ થયેલી FIRનું સંજ્ઞાન લેતા કરી છે.


કાર્તિકેયનની જુલાઈમાં લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી

ઈડીએ શ્રીસન ફાર્માના મુખ્ય કર્મચારીઓ અને TNFDAના ધરપકડ કરેલા પ્રભારી નિર્દેશક પીયૂ કાર્તિકેયનના પરિસરોની તપાસ કરી. કાર્તિકેયનની જુલાઈમાં લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈડીના સુત્રો મુજબ બનાવટી કફસિરફના વેચાણથી કમાયેલા પૈસા PMLA હેઠળ ગુનાહિત કમાણી છે અને એજન્સી તેને સાબિત કરવા માટે પુરાવા એકત્ર કરી રહી છે.

કોલ્ડ્રિફમાં 48.6 ટકા DEG

કફસિરપ કોલ્ડ્રિફમાં 48.6 ટકા ઝેરી DEG મળી આવ્યો હતો. તેનાથી મધ્યપ્રદેશના છિંદવાડામાં 22 બાળકોની કિડની ફેલ થવાથી મોત થયા હતા. CDSCOએ જણાવ્યું કે કાંચીપુરમ સ્થિત શ્રીસન ફાર્માએ 2011માં લાઈસન્સ મળ્યા છતા ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય દવા સલામતી નિયમોના ઉલ્લંઘનો છતા એક દાયકાથી વધારે સમય સુધી કોઈ રોક ટોક વગર કામ કર્યું. જણાવી દઈએ કે શ્રીસન ફાર્માના માલિકની 9 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી અને હવે તમિલનાડુ સરકારે કંપનીનું લાઈસન્સ રદ કરી દીધું છે.   

  • Follow us on: