જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાના કેસમાં હવે ઈડીએ તપાસ શરુ કરી છે. પોલીસ બાદ હવે ઇડીએ સંપત્તિની તમામ વિગતો મંગાવી છે. છાંગુર બાબાએ પોતાની નજીકના વ્યક્તિ નવીન રોહરાના પરિવારનું ધર્માંતરણ કર્યુ હતુ. ધર્મપરિવર્તન બાદ છાંગુર બાબાએ પોતાનુ જમાલુદ્દીન નામ તેને આપી દીધુ હતુ. એટીએસે જણાવ્યુ છે કે, છાંગુર બાબા લાચાર અને મજબૂર લોકોનો ફાયદો ઉઠાવતો હતો. અને ઇસ્લામ ધર્મ બદલવા માટે લાલચ આપતો હતો.


ઇડીની સખ્ત કાર્યવાહી

છાંગુર બાબા કેસ મામલે આઇટી અધિકારીઓ સાથે ઇડી અધિકારીઓએ બેઠક કરી હતી. આ દરમિયાન ઇડીએ છાંગુર બાબાના 6 મહિનાના આઇટી રિટર્ન્સની વિગતો મંગવી છે. તો સાથે જ બેન્ક અધિકારીઓ પાસેથી પણ છાંગુર બાબાના 40 સંસ્થાઓના બેન્ક અકાઉન્ટની વિગતો માંગી છે. આ ઉપરાંત છાંગુર બાબાના સંપત્તિના દસ્તાવેજો પણ ઇડીને પ્રાપ્ત થઇ જશે. તો આ સિવાય કોર્ટમાં ઇડી અરજી દાખલ કરશે અને છાંગુર બાબા અને તેના સહયોગીઓને જલદી જ જેલના હવાલે કરાશે.

સાત દિવસ માટે એટીએસની કસ્ટડી રિમાન્ડ

છાંગુર બાબા અને તેના સહયોગીની મુશ્કેલીઓ વધી રહી છે. તેની સહયોગી નીતૂ ઉર્ફે નસરીન10થી 16 જુલાઇ સુધી એટીએસની કસ્ટડી રિમાન્ડ પર છે. એનઆઇએ સ્પેશિયલ કોર્ટમાંથી તેની રિમાન્ડ એટીએસને મળી છે. કસ્ટડી રિમાન્ડ દરમિયાન ગેરકાયદે ધર્મપરિવર્તન અને બેન્ક ટ્રાન્ઝેક્શન મામલે પૂછપરછ કરવામાં આવશે. છાંગુર બાબાના ભૂતકાળ અને વર્તમાન અંગે તમામ માહિતીઓ એટીએસ અને ઇડી પાસે છે. તેથી આ કેસમાં છાંગુર બાબાને શુ સજા મળે છે તે જોવું રહ્યુ. 

  • Follow us on: