મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં આવેલા કુબેરેશ્વર ધામમાં કાવડ યાત્રામાં ભાગ લેવા આવેલા બે ભક્તોનું મોત થયું છે. આ કાવડ યાત્રા કથાકાર પંડિત પ્રદીપ મિશ્રા દ્વારા આયોજિત કરવામાં આવી છે. યાત્રામાં ભાગ લેવા માટે દેશભરમાંથી લગભગ પાંચ લાખ ભક્તો પહોંચ્યા છે. અગાઉ પણ આ યાત્રામાં ભાગ લેવા આવેલી બે મહિલા ભક્તોનું નાસભાગ દરમિયાન મોત થયું હતુ. જેમાંથી એક ગુજરાત અને બીજા યુપીથી આવ્યા હતા.


બેકાબૂ થઇ ભીડ

કુબેરેશ્વર ધામ સિહોર જિલ્લામાં સ્થિત છે. જે ભગવાન શિવને સમર્પિત છે અને રુદ્રાક્ષ વિતરણ માટે પણ જાણીતું છે. આને પંડિત પ્રદીપ મિશ્રાનું ધામ પણ કહેવામાં આવે છે. કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ સેવાન નદીથી કુબેરેશ્વર ધામ સુધી કાવડ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં દેશભરના લગભગ પાંચ લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. તે જ સમયે ધક્કા-મુક્કી થતા બે શ્રદ્ધાળુઓનું મૃત્યુ થયું છે. મૃતકોમાંથી એકનું નામ ચતુર સિંહ છે. જે પંચમહાલ ગુજરાતનો રહેવાસી છે. તો અન્ય એક હરિયાણાના રોહતક જિલ્લાના ઈશ્વર સિંહ તરીકે કરવામાં આવી છે.

શ્રદ્ધાળુઓના મોતથી હાહાકાર

કાવડ યાત્રામાં ભાગ લેવા આવેલા ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. એકનું મોત હોટલની સામે ઊભા રહીને પડી જવાથી થયું હતું, જ્યારે બીજાનું મોત અચાનક ચક્કર આવવાથી અને કુબેશ્વર ધામમાં પડી જવાથી થયું હતું. છેલ્લા બે દિવસમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે. લાખોની ભીડ અને અંધાધૂંધીને કારણે આ અકસ્માતો થયો હોવાનુ સામે આવ્યુ છે. 

  • Follow us on: