દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેણે તબીબી ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી છે. નેશનલ મેડિકલ કમિશને ચાર ડોક્ટરોના નામ ઇન્ડિયન મેડિકલ રજિસ્ટરમાંથી હટાવી દીધા છે. આ કાર્યવાહી ડોક્ટરો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃતિઓ અધિનિયમ હેઠળ FIR નોંધવાને કારણે કરવામાં આવી છે. આ પગલું દર્શાવે છે કે, તબીબી સુરક્ષાઓ પણ રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર મામલાઓમાં ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી રહી છે.


જેમના પર કાર્યવાહી થઇ તેમના નામ જાહેર

NMC દ્વારા જે ચાર ડોક્ટર પર કાર્યવાહી કરવામાં આવી છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ડો. મુઝફ્ફર અહમદ, ડો. અદીલ રાથેર, ડો. મુઝામિલ શકીલ અને ડો. શાહીન સઈદનો સમાવેશ થયા છે. આ તમામ ડોક્ટરો પર દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં આતંકવાદીઓને મદદ કરવા અથવા તેમની સાથે સંડોવાયેલા હોવાનો આરોપ છે. NMC દ્વારા IMR રજિસ્ટરમાંથી નામ હટાવવાનો અર્થ એ છે કે, આ ડોક્ટરો હવે ભારતમાં કાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી શકશે નહીં જે તેમના પર લાગેલા ગંભીર આરોપોની ગંભીરતા દર્શાવે છે.

NMC ના પગલાં અને તેના પરિણામો

UAPA જેવા ગંભીર કાયદા હેઠળ ફરિયાદ નોંધાતા NMC એ તત્કાલ અને કડક પગલું ભર્યું છે. કોઈપણ ડોક્ટરનું રજિસ્ટ્રેશન રદ થવું એ તબીબી વ્યવસાય માટે એક ગંભીર બાબત છે. NMC નું આ પગલું અન્ય તબીબી વ્યવસાયિકો માટે પણ એક સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્રીય અને આતંકવાદ સંબંધિત પ્રવૃતિઓમાં સંડોવણીને કોઈ પણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ મામલે વધુ તપાસ કરી રહી છે જયારે NMC દ્વારા તેમના પ્રોફેશનલ સ્ટેટસ પર તત્કાલ અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


  • Follow us on: