કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં નશાના કારોબાર સામે મોટો પ્રહાર કરતા જાહેરાત કરી છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા યુએઈ (UAE) થી આંતરરાષ્ટ્રીય ડ્રગ કિંગપિન વિરેન્દ્ર સિંહ બસોયાને સફળતાપૂર્વક ભારત પાછો લાવવામાં આવ્યો છે. 

મોદી સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિની મોટી ઉપલબ્ધિ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ સફળતાને નશીલા પદાર્થો સામે મોદી સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિની એક મોટી ઉપલબ્ધિ ગણાવી છે. બસોયા પર વિદેશમાં બેસીને ભારત સુધી ચાલતા વિશાળ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો માસ્ટરમાઇન્ડ હોવાનો ગંભીર આરોપ છે.

કાયદાની લાંબી પહોંચથી બચી શકશે નહીં

ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ડ્રગ તસ્કરો ચાહે દુનિયાના ગમે તે ખૂણામાં છુપાયા હોય, તે ભારતીય કાયદાની લાંબી પહોંચથી બચી શકશે નહીં. આપણી સુરક્ષા એજન્સીઓ વિદેશમાં છુપાયેલા ડ્રગ તસ્કરોના આખા નેટવર્ક અને ઇકોસિસ્ટમને મુળમાંથી ખતમ કરી રહી છે. ભારતીય એજન્સીઓ છેલ્લા લાંબા સમયથી બસોયાની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી અને અંતે તેને ભારત લાવવામાં સફળતા મળી છે.

સરકારે ત્રણ વર્ષની રાષ્ટ્રીય ડ્રગ-વિરોધી યોજના તૈયાર કરી

આ સાથે જ સરકારે વર્ષ 2026-2029 માટે ત્રણ વર્ષની રાષ્ટ્રીય ડ્રગ-વિરોધી યોજના (Vision Document) પણ તૈયાર કરી છે, જેમાં 40 થી વધુ મંત્રાલયો અને વિભાગો સાથે મળીને ઇન્ટેલિજન્સ, કાયદાનું પાલન અને પુનર્વસન પર કામ કરશે. ડ્રગ્સના ઉત્પાદનમાં વપરાતા કેમિકલ્સ અને NDPS એક્ટના નિયમોની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર નાર્કોટિક્સ નેટવર્ક પર એટલી સખત કાર્યવાહી કરશે કે તેનો પ્રભાવ આગામી દાયકાઓ સુધી જોવા મળશે. 


આ પણ વાંચો   :   Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની   


 આ પણ વાંચો  :   Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો   


આ પણ વાંચો   :      Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત