દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન આતંકી ષડયંત્ર હોવાનું સામે આવી રહ્યું છે. હુમલામાં 3 કાર i20, EcoSport અને Brezzaનો ઉપયોગ થયાની જાણકારી સામે આવી છે. આ કારને અલ ફલાહ યુનિવર્સિટીમાંથી મેળવવામાં આવી. કાર મળી આવવી અને અલ ફલાહ યુનિવર્સિટી સાથેના તેઓના સંબંધોએ તપાસ એજન્સીઓનું ધ્યાન ઉમરના વિદેશી હેન્ડલર તરફ વાળ્યું છે.


ત્રીજી કારની પણ થઇ ઓળખ 

10 નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ કાવતરાના નવા સ્તરો ખુલી રહ્યા છે. દિલ્હીને આતંકિત કરવાની આતંકવાદીઓની સંપૂર્ણ યોજના બહાર આવી રહી છે. આ આત્મઘાતી હુમલો કરવા માટે એક બે નહીં, પરંતુ ત્રણ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ત્રીજી કાર, બ્રેઝાની ઓળખ થઇ છે.

મળતી માહિતી મુજબ આઇ20 કારનો ઉપયોગ ડોક્ટર ઉમરએ લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ માટે કર્યો હતો અને તેને ઘણીવાર ખરીદવામાં આવી અને વેચવામાં પણ આવી. તેનો છેલ્લો માલિક પુલવામામાં રહેનારો આમિર રાશિદ હતો.

રેડ કારને લઇને તપાસનો ધમધમાટ

ફરીદાબાદમાં સુરક્ષા એજન્સીઓએ ખંડવાલી ગામમાંથી એક ત્યજી દેવાયેલી લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર મળી આવી. ડૉ. ઉમરના સંબંધી ફહીમે ત્યાં કાર પાર્ક કરી હતી અને ગાયબ થઈ ગયો હતો. પોલીસે હવે ફહીમને શોધી કાઢ્યો છે અને તેની પૂછપરછ કરી રહી છે.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફહીમનો મુખ્ય આરોપી અને આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમર સાથે કૌટુંબિક સંબંધ હોઈ શકે છે. વધુમાં ફહીમે ખંડવાલીમાં કાર કેમ પાર્ક કરી તેને કાર કોણે પૂરી પાડી અને તે હુમલા વિશે કેટલી જાણતો હતો તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.

અલ ફલાહ યુનિવર્સિટીની અંદર બ્રેઝા કાર મળી

એજન્સીઓએ હવે હુમલામાં વપરાયેલી બ્રેઝા કાર શોધી કાઢી છે, જેનાથી કાવતરાના વાસ્તવિક માસ્ટરમાઇન્ડ સુધી પહોંચી શકાય છે. આ બ્રેઝા કાર અલ ફલાહ યુનિવર્સિટીની અંદર ક્યાંક પાર્ક કરવામાં આવી હતી. એજન્સી હવે કારની તપાસ કરી રહી છે.

હુમલામાં 13 લોકોના મોત 

બ્લાસ્ટ કરનાર ડૉ. ઉમર અને ડૉ. મુઝમ્મીલે પણ આ બ્રેઝા કારનો ઉપયોગ કર્યો હતો. બ્લાસ્ટમાં માર્યા ગયેલા આતંકવાદી ડૉ. ઉમર અને આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓનો આ યુનિવર્સિટી સાથે કોઈ સંબંધ છે. નોંધનીય છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કરનાર ડૉ. ઉમરનો ડીએનએ તેની માતાના ડીએનએ સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે. સુરક્ષા એજન્સીઓએ પુષ્ટિ આપી છે કે ડૉ. ઓમરે i20 કાર સાથે પોતાને ઉડાવી દીધો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે.

ઓમર તુર્કીમાં સ્થિત એક હેન્ડલરના સંપર્કમાં હતો.

રિપોર્ટ અનુસાર, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઓમર સેશન એપનો ઉપયોગ કરીને તુર્કીના અંકારા સ્થિત તેના હેન્ડલર 'યુકાસા' (સંભવિત કોડનેમ) સાથે સંપર્કમાં હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો માર્ચ 2022 માં ભારતથી અંકારા ગયા હતા.


  • Follow us on: