DGCA એ Air Indiaને તાત્કાલિક તેમના ત્રણ અધિકારીઓને તેમની પદ પરથી બરખાસ્ત કરવાનો આદેશ આપ્યો છે. મુંબઈ, 21 જૂન (પીટીઆઈ) એવિએશન સેફ્ટી રેગ્યુલેટર ડીજીસીએએ એર ઇન્ડિયાના ત્રણ અધિકારીઓને ક્રૂ શેડ્યૂલ સંબંધિત તમામ ભૂમિકાઓ અને જવાબદારીઓમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે, એમ સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું.


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 20 જૂનના રોજ આપેલા આદેશમાં ટાટા ગ્રુપની માલિકીની એરલાઇનને કોઈપણ વિલંબ વિના આ અધિકારીઓ સામે આંતરિક શિસ્ત કાર્યવાહી શરૂ કરવા જણાવ્યું હતું. તેમણે 10 દિવસમાં આ કાર્યવાહી અંગેનો રિપોર્ટ જમા કરાવવા પણ આદેશ આપ્યો છે.  DGCA ના આદેશ મુજબ, ત્રણ અધિકારીઓમાં એરલાઇનના એક ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે 12 જૂનના રોજ અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં એર ઈન્ડિયાના વિમાનમાં બેસેલા 242 માંથી 241 લોકોના મોત નિપજ્યા હતા. ફક્ત એક વ્યક્તિ જ જીવીત બચ્યો હતો. DGCA એર ઈન્ડિયાને જણાવ્યું છે કે પોતાની શેડ્યુલિંગ પ્રક્રિયાઓમાં ફેરફાર કરે જેથી આવી ઘટનાઓ બીજી વખત ન બને. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું ચે કે ઉડાન સુરક્ષાને લઈને હવે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. 

  • Follow us on: