તાલિબાનના સત્તામાં આવ્યા બાદ પહેલી વાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પ્રવાસ પર નવી દિલ્હી પહોંચ્યા છે. આ યાત્રા અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારના પતનના 4 વર્ષ બાદ ભારત અને તાલિબાન શાસન વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્કનો મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે.


UNSCએ તાલિબાનના દરેક મુખ્ય નેતાઓ વિરુદ્ધ પ્રતિબંધ લગાવ્યો

મુત્તાકીને ગયા મહિને નવી દિલ્હી આવવના હતા. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા લગાવવામાં આવેલા યાત્રા પ્રતિબંધને કારણે તેમનો આ પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સમિતિએ 30 સપ્ટેમ્બરે મુત્તાકીને અસ્થાયી છૂટ આપતા 9 થી 16 ઓક્ટોબર સુધી નવી દિલ્હી આવવાની અનુમતિ આપી હતી. UNSCએ તાલિબાનના દરેક મુખ્ય નેતાઓ વિરુદ્ધ પ્રતિબંધ લગાવ્યો છે અને તેમને વિદેશ પ્રવાસ માટે આ પ્રકારની છૂટ મેળવવી પડી છે. મુત્તાકીના આ પ્રવાસથી કાબુલમાં તાલિબાન શાસનની સાથે ભારતના સંબંધોને એક નવો મોડ મળવાની આશા છે.

વિદેશ મંત્રીએ કરી હતી વાત

આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે 15 મેએ મુત્તાકી સાથે ફોન પર વાતચીત કરી હતી. તાલિબાનના સત્તામાં આવ્યા બાદ નવી દિલ્હી અને કાબુલ વચ્ચે આ ઉચ્ચતમ સ્તરનો સંપર્ક હતો. ભારતે હજુ સુધી તાલિબાન સરકારને માન્યતા નથી આપી અને કાબુલમાં વાસ્તવમાં સમાવેશી સરકારની રચના પર જોર આપી રહ્યુ છે.

વિક્રમ મિસરી અને મુત્તાકી વચ્ચે વાતચીત

ભારત સરકાર એ પણ જોર આપી રહી છે કે અફઘાન ધરતીનો ઉપયોગ કોઇ પણ દેશ વિરૂદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે નહીં કરે. જાન્યુઆરીમાં તાલિબાન શાસને વિદેશ સચિવ વિક્રમ મિસરી અને મુત્તાકી વચ્ચે વાતચીત બાદ ભારતને એક મહત્વપૂર્ણ ક્ષેત્રીય અને આર્થિક શક્તિ બતાવ્યુ હતુ. ભારત હજુ સુધી અફઘાનિસ્તાનના ઘંઉ અને દવાઓ સહિત માનવીય સહાયતાની અનેક ખપત મોકલી ચૂક્યો છે. ભારત અફઘાનિસ્તાનમાં વધી રહેલા માનવતાવાદી સંકટનો સામનો કરવા માટે અવિરત સહાય માટે દબાણ કરી રહ્યું છે.


  • Follow us on: