ભારતીય નૌકાદળને વિશાખાપટ્ટનમમાં પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ 'નિસ્તાર' મળ્યુ છે. 118 મીટર લાંબુ આ જહાજ 300 મીટરની ઉંડાઇ સુધી ડાઇવિંગ અને 1000 મીટર સુધી રેસ્ક્યૂ ઓપરેશન કરી શકે છે. 75% સ્વદેશી સામગ્રીથી તૈયાર કરાયેલું 'નિસ્તાર' સબમરીન ઇમરજન્સીમાં બચાવ માટે કામ આવશે. 8 જુલાઇ 2025ના રોજ વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડે ભારતીય નૌકાદળને પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ 'નિસ્તાર' સોંપવામાં આવ્યુ હતુ. આ જહાજ ભારતમાં જ ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવ્યુ છે. આ સમુદ્રમાં બચાવકાર્યની ક્ષમતા વધારશે.


'નિસ્તાર'ની ખાસિયતો શું છે ?

'નિસ્તાર' એક એવું યુદ્ધપોત છે. જે સમુદ્રમાં બચાવકાર્યને વધુ મજબૂત અને સટીક બનાવશે. તેનુ નામ સંસ્કૃત શબ્દ 'નિસ્તાર'થી લેવામાં આવ્યુ છે. જેનો અર્થ મુક્તિ, બચાવ અથવા ઉદ્ધાર કરવો છે. દુનિયાના અમુક જ નૌકાદળ પાસે આ પ્રકારની ખાસિયત ધરાવતા સબમરીન છે. 'નિસ્તાર'ના આકાર અને વજનની વાત કરીએ તો, આ જહાજ 118 મીટર લાંબુ છે. તેનું વજન 10 હજાર ટન છે. તેમાં આધુનિક ડાઇવિંગ ઉપકરણ છે. જે 300 મીટર ઉંડાણ સુધી સૈચુરેશન ડાઇવિંગ અને 75 મીટર સુધી સાઇડ ડાઇવિંગ ઓપરેશન કરી શકાય છે. બચાવ ક્ષમતાની વાત કરીએ તો આ જહાજ ડીપ સબમર્જેંસ રેસ્ક્યૂ વેસલ માટે 'મધર શિપ'નું કામ કરે છે. જો કોઇ સબમરીનમાં ઇમરજન્સી સ્થિતિ ઉભી થાય છે. તે લોકોને બચાવવા માટે ઉપયોગી સાબિત થશે. તેમાં રિમોટલી ઓપરેટેડ વ્હીકલ્સ છે. જે હજાર મીટર ઉંડાણ સુધી મરજીવોની મદદ કરી શકે છે.

સ્વદેશી ટેક્નિકનો કમાલ

'નિસ્તાર'ને હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડે બનાવ્યુ છે. તેને ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગના નિયમો અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યુ છે. આ જહાજમાં 75 ટકાથી વધુ ભાગ સ્વદેશી છે. આ ભારત સરકારની 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા'નું પ્રથમ શાનદાર ઉદાહરણ દર્શાવે છે. 

  • Follow us on: