બુધવારે સવારે ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં એક મોટો અકસ્માત થયો. મૂશળધાર વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. નહેરોમાં પણ પાણી ધસમસી રહ્યુ છે ત્યારે કોતવાલી વિસ્તારમાં એક સિંચાઇની નહેરમાં કાર અનિયંત્રિત થઇને ખાબકી . જેને કારણ ે4 લોકોના મોત થયા છે.


કારમાં 7 લોકો હતા સવાર 

સિંચાઇ નહેરમાં કાર જેવી ખાબકી કે તેવી જ ઊંધી પડી ગઇ। આ દરમિયાન કારમાં પાણી ભરાઇ ગયુ. કારમાં 7 લોકો સવાર હતા. જેમાં એક બાળક સહિત 4 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે કારનુ રેસક્યુ કરીને નહેરમાંથી બહાર કાઢી છે.

4બાળકો હતા 

કારના દરવાજાની વિન્ડો ઓપન કરતા ખબર પડી છે એક બાળક સહિત 4 લોકોના તો મોત થઇ ગયા હતા. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેઓને સુશીલ તિવારી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. 3ની હાલત ગંભીર છે. એસપી સિટી પ્રકાશ ચંદ્રએ બતાવ્યું કે કારમાં 7 લોકો સવાર હતા જ્યારે એક બાળક સહિત 4 લોકોના મોત થયા છે. ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે. નહેર કારમાં પડી અને ભારે પ્રવાહને કારણે વહી ગઇ. પોલીસ કાર અને મૃતક લોકોના સંબંધમાં જાણકારી મેળવી રહી છે. તેઓ ઉદ્યમસિંહ નગરના રહેવાસી હતા.


  • Follow us on: