સુપ્રિમ કોર્ટના મુખ્ય જસ્ટિસ બી.આર ગવઇએ દેશની ન્યાય વ્યવસ્થાને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે દેશની ન્યાય વ્યવસ્થા અત્યારે જે પડકારોનો સામનો કરી રહી છે તેમાં વ્યાપક સુધારા કરવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું.


ન્યાયપ્રણાલીને લઇને શું બોલ્યા? 

હૈદરાબાદની નાલસર યુનિવર્સિટી ઓફ લોમાં એક કાર્યક્રમ યોજાયો હતો. દિક્ષાંત સમારોહના આ કાર્યક્રમમાં તેઓએ સંબોધન કરતા દેશના ન્યાયિક પ્રક્રિયા અને તેના પડકાર અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે આપણો દેશ અને ન્યાય પ્રણાલી ઘણા પડકારો સામે ઝઝૂમી રહ્યો છે. ઘણીવાર કેસોનો ઉકેલ લાવવામાં વર્ષો, દાયકાઓ પણ લાગે છે. આપણે ઘણા એવા કિસ્સા જોયા છે જ્યાં લોકો વર્ષોથી અન્ડરટ્રાયલ તરીકે જેલમાં રહ્યા છે અને અંતે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ જટિલ સમસ્યાઓના ઉકેલ શોધવામાં આપણા શ્રેષ્ઠ પ્રતિભાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

વિદ્યાર્થીઓને આપી સલાહ 

વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે કહ્યં કે વિદેશ જવાની યોજના બનાવો તો શિષ્યવૃત્તિનો આશરો લો. આ પ્રયાસમાં તમારા પરિવાર પર આર્થિક બોજ ન નાખો. મુખ્ય ન્યાયાધીશે ન્યાયિક પ્રણાલીમાં સુધારાની જરૂરિયાતને અત્યંત તાકીદની ગણાવી. મુખ્ય ન્યાયાધીશે સ્નાતક વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેઓ તેમના શિક્ષકોની પસંદગી તેમની શક્તિ કે પ્રભાવના આધારે નહીં, પરંતુ તેમની પ્રામાણિકતા અને મૂલ્યોને જોઈને કરે.

  • Follow us on: