રાજ્યસભામાં સાંસદ સુમિત્રા વાલ્મિકીએ સદનમાં એક મહત્વનો સામાજિક મુદ્દો ઉઠાવતા સરકારી કર્મચારીઓ માટે એક પ્રશ્ન પૂછ્યો કે શું સરકારી કર્મચારીઓને પોતાના ઘરડાં માતા-પિતાની દેખરેખ માટે કોઇ વિશેષ રજા મળે છે ? તેમણે સવાલ કર્યો કે જો એવો કોઇ નિયમ નથી તો શું સરકાર બાળકને દેખભાળ માટે આપતી રજાની જેમ માતાપિતાની દેખભાળ માટે રજા આપવા પર વિચાર કરી રહી છે. સાંસદે કરેલા આ સવાલના જવાબમાં રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે કહ્યુ કે સરકારી કર્મચારીઓને વર્ષ દરમિયાન આટલી રજાઓ આપવામાં આવે છે.


જેમાં 30 દિવસની અર્જિત રજાઓ (Earned Leave)

20 દિવસની અડધા પગારની રજા (Half Pay Leave)

8 દિવસની કેઝ્યુઅલ રજા (Casual Leave)

2 દિવસની રિસ્ટેક્ટેડ લિવ

જીતેન્દ્ર સિંહે જણાવ્યુ હતુ કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (રજા) નિયમો જેમાં 1972 અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર વર્ષે કુલ 60 દિવસની રજા લેવાની અનુમતિ છે. મંત્રીએ સ્પષ્ટ કર્યુ કે દરેક રજાઓ વ્યક્તિગત કારણો માટે લઇ શકે છે, જેમા ઘરડાં માતા-પિતાની દેખભાળ સામેલ છે. સરકારનો ઉદ્દેશ્ય માત્ર વર્ક લાઇફને બેલેન્સ કરવાનો તો છે. પરંતુ કર્મચારીઓ પરિવાર અને વ્યક્તિગત જવાબદારીઓ પ્રત્યે સંવેદન શીલ બનાવવાનો પણ છે.


  • Follow us on: