સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા કોલેજિયમની ભલામણી કરવા છતા જજોની મોડી નિયુક્તિને લઇને દાખલ કરેલી અરજીઓ પર બે અઠવાડિયા બાદ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.


ભલામણ છતા મંજૂરી નથી અપાતી

વરિષ્ઠ વકીલઓ અરવિંદ દાતાર અને પ્રશાંત ભૂષણની અપીલ પર ચીફ જસ્ટિસે સંમતિ આપી છે. વકીલોનુ કહેવુ છે કે, 2019,2020, અને 2022માં ફરી એક વખત ભલામણ કરવામાં આવી હતી તેમ છતા હજુ સુધી મંજૂર નથી થયી.જેના કારણે ઉમેદવારોના હિત અને વરિષ્ઠતા બંને પર અસર પડી રહી છે.

મહિલા વકીલનુ નામ સજેસ્ટ કર્યુ

વકીલનુ કહેવુ છે કે દિલ્હી અને મુંબઇના કેટલાંક વકીલોએ પોતે જ પોતાના નામ પાછા ખેંચી લીધા. અનેક વખત ભલામણ કરવામાં આવી છે. છતાં હજુ સુધી કોઇ મંજૂરી મળી નથી. પ્રશાંત ભૂષણનું કહેવુ છે કે મહિલા વકીલ જેમનુ નામ સજેસ્ટ કરવામાં આવ્યુ હતુ. જે નેશનલ લો સ્કુલ ની ટોપર હતી. પરંતુ તેમનુ નામ વારં વાર અટક્યુ. જેમાં કેન્દ્ર અને ન્યાયપાલિકા વચ્ચે કોલેજિયમ પ્રણાલીને લઇને હજુ પણ મતભેદ થઇ રહ્યા છે.

  • Follow us on: