ધર્મ અને આધ્યાત્મિકતાના વૈશ્વિક કેન્દ્ર સમાન કાશી (વારાણસી) શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને તેની પવિત્ર ધાર્મિક ઓળખને અનુરૂપ રાખવા માટે વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં અત્યાર સુધી કાર્યરત માંસ, મટન અને માછલીની દુકાનોને હવે તબક્કાવાર રીતે શહેરની સરહદ (સીમા)ની બહાર ખસેડવામાં આવશે. શનિવારે મેયર અશોક કુમાર તિવારીની અધ્યક્ષતામાં મૈદાગીનના ટાઉન હોલ બિલ્ડીંગમાં મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા (ગૃહ)ની બેઠકમાં આ દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી છે.
6 મહિનામાં થશે સંપૂર્ણ અમલ,આ 5 વિસ્તારો કરાયા નક્કી
મેયર અશોક કુમાર તિવારીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારત અને વિદેશથી કાશીની મુલાકાતે આવતા કરોડો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આગામી ૬ મહિનામાં આ યોજનાનો સંપૂર્ણ અમલ કરી દેવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર હિમાંશુ નાગપાલે ગૃહને માહિતી આપી હતી કે યોજનાના પ્રથમ તબક્કા માટે શહેરના બહારના વિસ્તારની નજીકના પાંચ મુખ્ય સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. આ પાંચ વિસ્તારો નીચે મુજબ છે













