મહારાષ્ટ્રના એકનાથ શિંદે જૂથના શિવસેના ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરુદ્ધ મુંબઇ પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ગાયકવાડમાં BNSની કલમ 352,115(2) હેઠળ નોન કોગ્નિઝેબલ ઓફેન્સ દાખલ કર્યો છે.


મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા 

વાસી ખાવાનું આપતા કેન્ટીનના કર્મચારીને ધારાસભ્યએ લાફાવાળી કરી હતી. જેનો વિપક્ષે પણ વિરોધ કર્યો હતો. જે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે પોલીસે તપાસ જરૂરથી કરવી જોઇએ. હવે આ અંગે પોલીસ એક્શનમાં આવી છે. સીએમ ફડણવીસે કહ્યું કે ફરિયાદ દાખલ કરવાની જરૂર નથી. Cognizable અપરાધ હોય તો પોલીસ સ્વયં સંજ્ઞાન લઇ શકે છે. જ્યારે આ ગુનો Cognizable છે કે Non-Cognizable તે એની પર નિર્ભર કરે છે કે લાફો કેટલો ઝોરથી મારવામાં આવ્યો. આ આધાર પર ગુનાની પ્રકૃતિ નક્કી થાય છે.

શું કહે છે સંજયગાયકવાડ ? 

આ અંગે ધારાસભ્યનું કહેવુ છે કે મે કોઇ મોટો ગુનો નથી કર્યો. મને કાયદાનું ભાન છે. હું સીએમ અને ડે સીએમને મળીને આ અંગે જાણકારી આપીશ. તેઓને લાગે કે હું દોષિત છું તે તેઓ દ્વારા આપવામાં આવેલી સજા ભોગવવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે મંગળવાર 8 જુલાઇએ હોસ્ટેલના કેન્ટીનના એક કર્મચારીને દાળ બાબતે થપ્પડ માર્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ એફડીએએ બુધવારે સાંજે મુંબઇ સ્થિત કેન્ટીન ચલાવનાર કેટરરનું લાઇસન્સ રદ કરી દીધુ હતું. એફડીએએ સસ્પેન્ડનો આદેશ કરતા કહ્યું કે નિરીક્ષણ દરમિયાન ખોરાક અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જણાઇ આવ્યું હતું.

 

  • Follow us on: