અમૃતસરમાં શિખોનું પવિત્ર સ્થાન શ્રી હરમંદિર સાહિબ એટલે કે ગોલ્ડન ટેમ્પલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો ઝડપાયો છે. પોલીસ કમિશનર ગુરુપ્રિત સિંહ ભુલ્લરે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આરોપીની ધરપકડ તમિલનાડુમાંથી કરવામાં આવી છે. તે સોમવારથી સતત ઇમેઇલ દ્વારા પાંચ વાર ટેમ્પલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો હતો.



તમિલનાડુથી ઝડપાયો આરોપી

ઉલ્લેખનીય છે કે 14 જુલાઈથી SGPCને પાંચ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. . આ ઈમેલમાં RDX દ્વારા સુવર્ણ મંદિરને ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. વારંવાર ધમકીને પગલે અમૃતસરમાં સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સતર્ક થઈ ગઈ હતી. મંદિર સંકુલ અને આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે છેલ્લા બે દિવસથી તમિલનાડુમાં તપાસ ટીમો સક્રિય હતી. બે શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી પરંતુ તેમની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે. હવે એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ એક જ સાયબર હુમલો હતો કે તેની પાછળ કોઈ સંગઠિત નેટવર્ક છે કે કટ્ટરવાદી કાવતરું છે.

શું કહે છે સીએમ ભગવંત માન? 

મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી   સુવર્ણ મંદિરને ઘણી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ સંકુલમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) ને સુવર્ણ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપતા ઇમેઇલ મળ્યા બાદ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે લોકોને અફવાઓથી સાવધ રહેવા વિનંતી કરી અને કહ્યું કે તેમની સરકાર સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહી. 

  • Follow us on: