ઉત્તરાખંડના હરિદ્વાર સ્થિત પ્રસિદ્ધ મનસા દેવી મંદિરમાં આજે (રવિવારે) એક કરૂણ ઘટના બની છે. મંદિર પરિસરમાં મચેલી નાસભાગમાં 6 જેટલા શ્રદ્ધાળુઓના દુઃખદ અવસાન થયા છે. જ્યારે અનેક અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.


PM મોદીએ શોક વ્યક્ત કર્યો

આ ઘટના અંગે દેશના PM નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંએ શોક વ્યક્યો કર્યો છે. PM મોદીએ શોક વ્યક્ત કરવા જણાવ્યું કે, હરિદ્વાર, ઉત્તરાખંડમાં મનસા દેવી મંદિરના રસ્તા પર થયેલી નાસભાગને કારણે થયેલી જાનહાનિથી હું અત્યંત દુઃખી છું. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ છે. ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું.

જાણો કેવી રીતે બની ઘટના

આ ઘટના કેવી રીતે બની તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઇ નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ એકત્ર થઇ હતી અને કોઈ કારણોસર અફ્રાતાફાતી મચી ગઈ જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય યુધ્ધના ધોરણે ચાલવામાં આવી રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. મનસા દેવી મંદિર હરિદ્વારના લોકપ્રિય ધાર્મિક સ્થળો પૈકી એક છે અને ખાસ કરીને રવિવારે તેમજ તહેવારોના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.


  • Follow us on: