છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગે ત્રણથી ચાર કલાક દરમિયાન ભારે વરસાદની ચેતવણી ફરી જારી કરી છે. ભારે વરસાદને કારણે રોડ, રેલ અને હવાઈ ટ્રાફિક પ્રભાવિત થયો છે. મુંબઈ, પુણે, રાયગઢ, રત્નાગીરી, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.


પાણીના કારણે ટ્રાફિક જામ

ભારે વરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ થયો છે. કેટલીક જગ્યાએ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. મુંબઈની ટ્રેન સેવાઓ ઠપ થઈ ગઈ છે. એરપોર્ટ રનવે પર પાણી ભરાઈ જવાને કારણે 8 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી. વરસાદ ઓછો થયા પછી શહેરની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. સેન્ટ્રલ રેલ્વે સતત ત્રીજા દિવસે વરસાદને કારણે ખોરવાઈ રહ્યું છે. કલ્યાણ સ્ટેશન પર મુંબઈ તરફ જતી લોકલ ટ્રેનો અડધો કલાક મોડી ચાલી રહી છે. જેના કારણે મુસાફરોને ભારે ભીડનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદની કરાઇ આગાહી

કલ્યાણ તહસીલદારે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક પછી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમય દરમિયાન, વિભાગે લોકોને જરૂરી સાવચેતી રાખવા અને સલામત સ્થળે રહેવાની સલાહ આપી છે. કુર્લામાં એલબીએસ રોડ પર હાલની સ્થિતિ સામાન્ય છે. પરંતુ જો વરસાદ વધુ તીવ્ર બને તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. મીઠી નદી ઓવરફ્લો થવાને કારણે એલબીએસ રોડ અને નજીકની ઝૂંપડપટ્ટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. બીજી તરફ, બુધવારે વરસાદ બંધ થવાને કારણે મીઠી નદીનું પાણીનું સ્તર ઘટ્યું છે.

  • Follow us on: