પીએમ મોદી આજે જન્મદિવસે મધ્યપ્રદેશના ધાર પહોંચ્યા છે. તેઓએ આજે દેશને પ્રથમ પીએમ મિત્ર પાર્ક સહિત અન્ય વિકાસના કાર્યોની ભેટ આપી. પીએમ મોદીએ સંબોધન કરતા આજે વિશ્વકર્મા જયંતિની શુભકામના પાઠવી. સાથે જ તેમણે ઓપરેશન સિંદૂરને લઇને જણાવ્યું કે આ નવુ ભારત છે. પરમાણુ ધમકીથી ડરે તેમ નથી. ઘરમાં ઘુસીને મારે છે. માતા બહેનોનું સિંદૂર છીનવી લેનારને સેનાના જવાનોએ ઘૂંટણિયે લાવી દીધા.  



પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું- પીએમ મોદી 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આંખના પલકારામાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું. મા ભારતની સુરક્ષા કરવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ઓપરેશન સિંદૂરમાં આતંકી ઠેકાણાઓ નષ્ટ કરી દીધા. માતા બહેનોએ મને આશીર્વાદ આપ્યા. પ્રેમ આપ્યો.  નારી શક્તિ રાષ્ટ્રની પ્રગતિની મુખ્યધારા છે. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનના આતંકવાદીઓએ આપણી બહેનો પર સિંદૂરનો નાશ કર્યો હતો. અમે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. આપણા સૈનિકોએ આંખના પલકારામાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું છે. આ એક નવું ભારત છે, તે કોઈના પરમાણુ ધમકીઓથી ડરતું નથી. આ એક નવું ભારત છે જે ઘરમાં ઘૂસીને મારે  છે.


સરકાર હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણી કરી 

પીએમ મોદીએ કહ્યું કે આજે, 17 સપ્ટેમ્બર, એક ઐતિહાસિક પ્રસંગ છે. આ દિવસે દેશે સરદાર પટેલની દૃઢ ઇચ્છાશક્તિનું ઉદાહરણ જોયું. આ દિવસે હૈદરાબાદના લોકોને જુલમથી મુક્તિ મળી હતી. આ દિવસને કોઈએ યાદ નહોતો કર્યો. અમારી સરકારે હૈદરાબાદની ઘટનાઓને અમર બનાવી દીધી છે. અમે આ દિવસને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે. આ દિવસ આપણને યાદ રાખવાની પ્રેરણા આપે છે કે આપણા જીવનની દરેક ક્ષણ દેશ માટે છે.


  • Follow us on: