ઓડિશામાં વરસાદે તબાહી મચાવી છે. ક્યોઝરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયુ છે. જેમાં માટીમાં દબાઇ જવાથી 3 શ્રમિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ભૂસ્ખલન મંગળવારે સાંજ થયુ હતું.
મહત્વનું છે કે ક્યોઝર જિલ્લામાં બિચાકુંડી ક્ષેત્રમાં કેટલાક દિવસોથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ કારણે અહીંની આસપાસ ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી હતી.આ ભૂસ્ખ્લનમાં માટીમાં દબાઇ જવાથી જીવ ગુમાવનારા શ્રમિકોની ઓળખ બિચાકુંડી ક્ષેત્રના ગુરુ ચંપિયા, સંદીપ મુર્તી અને કાંદે મુંડા તરીકે થઇ છે. ત્રણેય શ્રમિકો સ્થાનિક છે. તેઓ ઘટના સ્થળ પર મેંગનીઝ ખનનનું કામ કરી રહ્યા હતા.













