પહલગામ આતંકી હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક રિપોર્ટે પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે.. જેમાં કહેવામાં આવ્યું છે કે આતંકી હુમલામાં લશ્કર એ તૈયબાનો સીધો જ રોલ હતો. લશ્કેરના ઇશારા પર જ પહલગામમાં 26 નિર્દોષોની હત્યા થઇ હતી. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પહલગામ અટેકમાં ધ રેસિડેન્ટ ફ્રન્ટએ જવાબદારી લીધી હતી જે એકદમ સાચી હતી. તપાસમાં કહેવામાં આવ્યું છે કે લશ્કરએ ટીઆરએફના સાથે કામમાં મદદ કરી હતી.
લશ્કરના ઇશારે જ હુમલો કરાયો- UN રિપોર્ટ













