કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પહલગામ આતંકી હુમલાને લઇને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે સુરક્ષામાં ગંભીર ચૂક થઇ, આ હુમલો થયો તેની જવાબદારી કોની. પ્રિયંકાગાંધીએ એમ પણ કહ્યું કે સરકારના ભરોસો લોકો કાશ્મીર ગયા હતા પરંતુ સરકારએ લોકોને ભગવાન ભરોસે છોડી દીધા. ત્યાં કોઇ સુરક્ષા વ્યવસ્થા હતી જ નહી.


લોકોને ભગવાન ભરોસે છોડ્યા- પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ સરકારને સવાલ કરતા કહ્યું કે શું નાગરિકોની સુરક્ષા મંત્રીની જવાબદારી નથી. શું તે ગૃહમંત્રીની જવાબદારી નથી ?? તેમણે એમ પણ સવાલ કર્યો કે શું સરકારની એવી કોઇ એજન્સી નથી કે જેને આવા ભયાનક હુમલાની યોજના બની રહી હોવાની જાણ પણ થાય. આ સરકારની એજન્સીઓની મોટી નિષ્ફળતા છે. તેમણે કહ્યું કે બૈસરન ઘાટીમાં થયેલા આ આતંકી હુમલામાં ટીઆરએફએ જવાબદારી લીધઈ. આતંકીઓએ પર્યટકોને ધર્મના આધારે નિશાન બનાલ્યા અને ફાયરિંગ કર્યુ જેમાં 26 લોકોના મોત થયા. આ હુમલો 2019માં થયેલા પુલવામાં હુમલા બાદ સૌથી ઘાતક હુમલો માનવામાં આવી રહ્યો છે.


જવાબદારી પણ ન લીધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ હુમલા પછી સેના પ્રમુખ અને ગુપ્તચર વડા બંનેએ રાજીનામું આપી દીધું. શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું? રાજીનામાની વાત તો દૂર, તેમણે જવાબદારી પણ લીધી નહીં. તમે ઇતિહાસ વિશે વાત કરો છો, હું વર્તમાન વિશે વાત કરીશ. તમે 11 વર્ષથી સત્તામાં છો. ગઈકાલે હું જોઈ રહી હતી જ્યારે ગૌરવ ગોગોઈ જવાબદારી વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે રાજનાથ સિંહ માથું હલાવી રહ્યા હતા, પરંતુ ગૃહમંત્રી હસતા હતા.


  • Follow us on: