બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં, વિધાનસભામાં વિપક્ષ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ માટે પડકાર ફક્ત ભાજપ અને નીતિશ કુમારની પાર્ટી જેડીયુમાંથી જ નથી. પરંતુ તેમના મોટા ભાઈ અને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા તેજ પ્રતાપ યાદવ પાસેથી પણ છે. તેજ પ્રતાપ પોતાના ભાઇ અને નેતા તેજસ્વી માટે દરરોજ નવી સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે.
લાલૂ યાદવના પરિવારમાં વિગ્રહ
પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવામાં આવેલા તેજ પ્રતાપ યાદવ પોતાના રાજકીય અસ્તિત્વ માટે લડવા માટે દરેક પગલા લઈ રહ્યા છે અને તેમનું આ પગલું તેજસ્વી યાદવના રાજકીય ખેલને બગાડી શકે છે. લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવ સાથે તેજ પ્રતાપ યાદવનો રાજકીય યુદ્ધ ત્યારે શરૂ થયો જ્યારે બિહારના ભૂતપૂર્વ મંત્રીને 25 મેના રોજ એક મહિલા સાથેના સંબંધને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દીધી અને દાવો કર્યો કે તેમનું પેજ હેક થઈ ગયું છે. લાલુ પ્રસાદે તેમના બેજવાબદાર વર્તનને કારણે તેજ પ્રતાપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ, તેજ પ્રતાપે જયચંદ પર તેમના અને તેમના નાના ભાઈ તેજસ્વી યાદવ વચ્ચે તિરાડ પાડવાનો અને કાવતરા પાછળ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી, તેમણે સોશિયલ સાઇટ્સ પર તેમની બહેનોને અનફોલો કરી દીધી. તેમણે તેમના ભૂતપૂર્વ વિધાનસભા મતવિસ્તાર મહુઆથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરીને આરજેડીને ખુલ્લો પડકાર આપ્યો અને હવે એક ડગલું આગળ વધીને, તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના પાંચ નાના પક્ષો સાથે જોડાણની જાહેરાત કરી છે.
Also Read
Bihar Assembly Election 2025: ચૂંટણી મેદાનમાં નવા ગઠબંધનની લડાઇ કોને ફળશે, શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Bihar Assembly Election 2025: પ્રદીપ નિષાદ સાથે Tej Pratap Yadavએ બિહારના રાજકારણમાં ખોલ્યો નવો મોરચો
Bihar Assembly Election 2025: ગઠબંધન માટે Tej Pratap Yadav અને પ્રદીપ નિષાદ આવશે સાથે, વિવિધ વર્ગો પર કરાશે ફોકસ
ભાઇઓ વચ્ચે રાજનીતિનો ખેલ
આરજેડી અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં જોડાવા માટે આમંત્રણ આપે છે. તેઓ કહે છે કે આરજેડી અને કોંગ્રેસ ઇચ્છે તો અમારી સાથે આવી શકે છે. આરજેડી અને કોંગ્રેસની જેમ તેઓ ભાજપ સાથે કોઈપણ પ્રકારના જોડાણની વાતને નકારી રહ્યા છે. તેઓ કહે છે કે મારા તેમની સાથે વૈચારિક મતભેદ છે. હું મારા સિદ્ધાંતોથી ભટકી શકતો નથી. સામાજિક ન્યાય મારો માર્ગ છે અને હું સમજું છું કે તેને કેવી રીતે અપનાવવું જોઈએ. વર્તમાન રાજકીય સંદર્ભમાં, એવું લાગે છે કે તેજ પ્રતાપ યાદવ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના માર્ગને અનુસરી રહ્યા છે. ઓવૈસીની પાર્ટીએ અગાઉ મહાગઠબંધનમાં જોડાવા માટે આરજેડી નેતૃત્વને પત્ર લખ્યો હતો. પરંતુ આરજેડી તરફથી કોઈ જવાબ ન મળતાં, એઆઈએમઆઈએમએ બિહારમાં ત્રીજો મોરચો બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. પરંતુ એઆઈએમઆઈએમ ત્રીજો મોરચો બનાવે તે પહેલાં જ તેજ પ્રતાપ યાદવે પોતાના ગઠબંધનની જાહેરાત કરી છે.










