પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ છે. બન્ને નેતાઓએ રશિયા પાસેથી તેલ ખરીદવા પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન પુતિને પીએમ મોદીને યુક્રેન યુદ્ધ વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે બાંહેધરી આપી હતી.


વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલનનું આમંત્રણ

બંને નેતાઓએ ભારત-રશિયા ભાગીદારીને મજબૂત બનાવવા વિશે વાત કરી હતી. તે જ સમયે, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષના અંતમાં વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલન માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતુ. આ વાતચીત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા પર 50 ટકા ટેરિફ લાદીને ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના કાયમી વલણ અને રશિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

અમેરિકા સામે પડકાર

પીએમ મોદીએ પુતિન સાથે વાત કરીને યુક્રેન સંબંધિત નવીનતમ વિકાસ વિશે માહિતી આપી હતી. બન્ને નેતા વચ્ચે મહત્ત્વની બાબતે વાતચીત થઇ હતી. પીએમ મોદી અને પુતિનની મિત્રતા, તેમની વાતચીત, અને તેમની વચ્ચેની મુલાકાતો અમેરિકા માટે ચિંતાનો વિષય બની છે. એક તરફ, રશિયા પર દબાણ લાવવા માટે અમેરિકાએ ભારત પર 50 ટકાનો ટેરિફ લાદ્યો છે. અને બીજી તરફ ભારત અને રશિયા વચ્ચે મિત્રતા અને વેપારી સંબંધો મજબૂત થતા જઇ રહ્યા છે. 

  • Follow us on: