ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBTમાં બળવાની અટકળો આખરે સાચી સાબિત થઈ અને પાર્ટીના 9 માંથી 6 સાંસદ એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. બીજી તરફ સંજય રાઉતે આ બળવાખોર સાંસદોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જે સાંસદ પાર્ટી છોડશે, તેમને છોડવામાં નહીં આવે.
શિવસેના (UBT)માં મોટું બળવો
મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગરને લઈને હલચલ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીમાં બળવાની અટકળો આખરે સાચી સાબિત થઈ અને પાર્ટીના 9 માંથી 6 સાંસદ એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે. આ દરમિયાન આ બળવાખોર સાંસદોને સંજય રાઉતે ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જે સાંસદ પાર્ટી છોડશે, તેમને છોડવામાં નહીં આવે.
6 સાંસદોએ બદલ્યો પક્ષ
વાસ્તવમાં શિવસેના યુબીટીના તમામ 6 બળવાખોર સાંસદો મંગળવારે દિલ્હી પહોંચી ગયા હતા. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને પોતાને અલગ જૂથ ગણાવતા એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવાની માહિતી આપી હતી. આ બળવાખોર સાંસદોમાં સંજય દેશમુખ, દીના પાટિલ, નાગેશ પાટિલ અષ્ટીકર, ઓમરાજે નિંબાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય જાધવના નામ સામેલ છે. બીજી તરફ શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાં બળવા પર એક પ્રકારે મહોર મારતા ભાજપને ચેતવણી આપી છે. તેમણે આ બળવાખોરોની સરખામણી સાપ સાથે કરતા ભાજપને ચેતવ્યું છે કે કાલે આ લોકો તેને પણ ડંખ મારશે.
અરવિંદ સાવંતે કરી રજૂઆત
બીજી તરફ શિવસેના UBTએ પણ આ બળવાને રોકવા માટે ચાલ ચાલી દીધી છે. ઉદ્ધવ ઠાકરેના વફાદાર શિવસેના (UBT) ના સાંસદ અરવિંદ સાવંતે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને વિનંતી કરી છે કે પાર્ટીના કોઈ પણ સાંસદના અલગ જૂથ બનાવવા કે અન્ય કોઈ પક્ષમાં વિલીનીકરણને માન્યતા આપવામાં ન આવે. સાવંતે આ પત્રમાં લખ્યું છે કે શિવસેના યુબીટી એક જ રાજકીય પક્ષ છે અને કાયદાની નજરમાં તે જ માન્ય છે. શિવસેના UBTએ કહ્યું કે સંસદમાં પાર્ટીનું અસ્તિત્વ મૂળ રાજકીય પક્ષથી આવે છે, તેથી અલગ-અલગ જૂથ બનાવીને તે જ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરી શકાય નહીં.
'અપના સપના મની..મની..!' ઉદ્ધવ સાથે દગાબાજી માટે સાંસદોને મળ્યા 15-15 કરોડ, સંજય રાઉતનો દાવો
ઓપરેશન ટાઈગરની ચર્ચા વચ્ચે શિવસેના UBT સાંસદ સંજય રાઉતે મોટો આરોપ લગાવ્યો છે. રાઉતે સોશિયલ મીડિયા પર કરેલી પોતાની પોસ્ટમાં દાવો કર્યો છે કે શિવસેના (UBT) ના સાંસદોને ખરીદવા માટે 15-15 કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવી રહ્યા છે. સંજય રાઉતનું કહેવું છે કે ઉદ્ધવ જૂથના તમામ 9 સાંસદો એકજૂથ છે.













