દેશના ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામુ આપતા આ પદ ખાલી થયુ હતું. જેના માટે હવે ચૂંટણી યોજાશે. જેની તારીખ નક્કી કરવામાં આવી છે.  9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાશે. તે દિવસે સવારે 10 થી 5 વાગ્યા સુધી મતદાન થશે. 


ચૂંટણીની જાહેરાત 

ઇલેક્શન કમિશને નોટિફિકેશન બહાર પાડ્યુ છે. જેમાં જણાવ્યુ છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 21 ઓગષ્ટ ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ છે. તમે 25 ઓગષ્ટ સુધી તમારી ઉમેદવારી પરત ખેંચી શકો છો. 

ઉપરાષ્ટ્રપતિ બનવા શું જોઈએ લાયકાત?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ભારતના નાગરિક હોવું જરૂરી છે. તેમની ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ અને તે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની તમામ યોગ્યતાઓને પૂર્ણ કરવો જોઈએ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડનારા ઉમેદવારને 15,000 રૂપિયા પણ જમા કરાવવા પડે છે. આ જમા રકમની જેમ હોય છે. ચૂંટણી હારવા પર અથવા 1/6 મત ના મળવા પર આ રકમ જમા થઈ જાય છે.


કેવી રીતે થાય છે મતદાન?

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં બંને ગૃહના સાંસદ ભાગ લે છે, તેમાં રાજ્યસભાના 245 અને લોકસભાના 543 સાંસદ ભાગ લે છે. રાજ્યસભા સભ્યોમાં 12 નામાંકિત સાંસદ પણ તેમાં સામેલ હોય છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રપોર્શનલ રિપ્રેઝેન્ટેશન સિસ્ટમથી થાય છે. તેમાં મતદાન ખાસ રીતે થાય છે. જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહે છે.

વોટિંગ દરમિયાન વોટરને એક જ વોટ આપવાનો હોય છે પણ તેને પોતાની પસંદના આધારે પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે. બેલેટ પેપર પર વોટરને પ્રથમ પસંદને 1, બીજાને 2 આ પ્રકારે પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે.

મતગણતરી કેવી રીતે થાય છે?

  • ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો એક કોટા નક્કી હોય છે, જેટલા સભ્યો મતદાન કરે છે, તેની સંખ્યાના બે ભાગ કરવામાં આવે છે, તેમાં 1 જોડવામાં આવે છે. માની લો કે 787 સભ્યએ મતદાન કર્યુ છે, તેના બે ભાગ કરીએ તો 393.50 આવે છે, જેમાં 0.50ને ગણવામાં આવતું નથી. તેથી સંખ્યા 393 થઈ, હવે તેમાં 1 જોડવા પર 394 થાય છે. ચૂંટણી જીતવા માટે 394 મત મળવા જરૂરી છે.
  • મતદાન બાદ પ્રથમ રાઉન્ડની ગણતરી થાય છે, જેમાં સૌથી પહેલા જોવામાં આવે છે કે તમામ ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા વાળા કેટલા વોટ મળ્યા છે, જો પ્રથમ ગણતરીમાં કોઈ ઉમેદવારને જરૂરી કોટાના બરાબર કે વધારે મત મળે છે તો તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
  • જો આવું થતું નથી તો ફરીથી ગણતરી કરવામાં આવે છે. આ વખતે તે ઉમેદવારને બહાર કરી દેવામાં આવે છે, જેને સૌથી ઓછા મત મળ્યા હોય છે પણ તેને પ્રથમ પ્રાથમિકતા આપનારા વોટમાં જોવામાં આવે છે, જેને બીજી પ્રાથમિકતા કોને આપી છે. ત્યારબાદ તેની પ્રાથમિકતાવાળા આ વોટ બીજા ઉમેદવારમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
  • બીજા રાઉન્ડમાં પણ જો કોઈ વિજેતા ના બની શકે તો પછી આ પ્રક્રિયા ફરી કરવામાં આવે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી થાય છે, જ્યા સુધી કોઈ એક ઉમેદવાર જીતી ના જાય.






  • Follow us on: