ગુરુવારે સંસદના ખાસ સત્ર દરમિયાન મહિલા અનામત સુધારા બિલ અંગે શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે ગરમાગરમ ચર્ચા જોવા મળી. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશમાં સીમાંકનની પ્રક્રિયા દ્વારા લોકશાહીનો નાશ થઈ રહ્યો છે. ત્યારે ભાજપના સાંસદ કંગના રનૌતે તીખો જવાબ આપ્યો. તેમણે ટિપ્પણી કરી કે કોઇ પીએમ મોદીથી થોડી ઇન્દિરા ગાંધીની જેમ ખુરશી છીનવીરહ્યા છે કે લોકતંત્ર ખતમ કરી દેશે.
કંગના રનૌતે બોલિવુડ ડાયલોગમાં શું કહ્યું ?
કંગના રનૌતે મહિલા આરક્ષણનું સમર્થન કરીને ધન્યવાદ પાઠવ્યા અને બોલિવુડ ફિલ્મના ડાયલોગનો ઉલ્લેક કરીને કહ્યું કે જા સીમરન જા.. જીલે અપની જિંદગી. એવી જ રીતે આજે આપણી સરકારે ભારતવર્ષની દીકરીઓને કહ્યું કે પિંજરુ તૂટી ગયુ છે. દીવાલો તૂટી ગઇ છે. જાઓ દીકરીઓ.જીવી લો તમારી જિંદગી.
Also Read
PM Modi in Loksabha: પીએમ મોદીની વિપક્ષને સલાહ, કહ્યુ બિલનું સમર્થન કરશો તો રાજનૈતિક નુકસાન નહી થાય
Parliament Session 2026: મહિલા આરક્ષણ બિલ પર અખિલેશને આડે હાથ લેતા અમિત શાહ, વાંચો Full Story
Parliament Special Session 2026: વિપક્ષના નિવેદન ચિંતાજનક, બિલ રજૂ થતા કોંગ્રેસના હોબાળાને લઇને બોલ્યા અમિત શાહ
પીએમ મોદી કોઈ ઇન્દિરા ગાંધી નથી કે..
પ્રિયંકા ગાંધીના નિવેદનનો વિરોધ કરતા, ભાજપના સાંસદે આગળ ટિપ્પણી કરી કે જ્યારે પણ કંઈક સકારાત્મક થાય છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં તીવ્ર બળતરા થાય છે - અને હવે તે જ થઈ રહ્યું છે. પ્રિયંકા ગાંધીજી હાલમાં દાવો કરી રહ્યા છે કે બંધારણમાં જ ફેરફાર કરવામાં આવશે, અથવા લોકશાહીનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે. જ્યારે પણ સરકાર કોઈ પહેલ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેઓ તરત જ બૂમ પાડે છે, અને આરોપ લગાવે છે કે લોકશાહી જોખમમાં છે.
કે લોકશાહીનો નાશ કરવાનો પ્રયાસ કરશે
કંગનાએ જણાવ્યું કે જો તમે સામાન્ય સમજનો થોડો પણ ઉપયોગ કરો છો, તો તમને ખ્યાલ આવશે કે વડા પ્રધાન એક ખૂબ જ લોકપ્રિય નેતા છે. જે સંપૂર્ણપણે લોકશાહી માધ્યમો દ્વારા સત્તા પર પહોંચ્યા છે. લોકશાહી જ તેમના પક્ષને સત્તા પર લાવી છે. તો પછી તેઓ તે જ લોકશાહીનો નાશ કરવાનો પ્રયાસ કેમ કરશે? ઇન્દિરા ગાંધીથી વિપરીત કોઈ પણ તેમની ખુરશી તેમની પાસેથી છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યું નથી. તેમને કોઈપણ રીતે સત્તા પર વળગી રહેવા માટે મજબૂર કરી રહ્યું છે - ભલે તેનો અર્થ લોકશાહીનો નાશ કરવાનો હોય. આવી કોઈ પરિસ્થિતિ અહીં અસ્તિત્વમાં નથી.
સીમાંકન અંગેના આરોપોનો સામનો
તેણીએ વધુમાં કહ્યું કે જેમ કે વડા પ્રધાને પોતે કહ્યું છે કે જો લોકશાહી કોઈ માટે કામ કરે છે તો તે મારા માટે સૌથી અસરકારક રીતે કાર્ય કરે છે. ઓછામાં ઓછી આટલી તો કોમન સેન્સ હોવી જોઇએ. જ્યારે જુઓ ત્યારે લોકોને ફોસલાવાના.. જ્યારે જુઓ ત્યારે ખોટી વાતો કરવી અને જ્યારે હવે એક નવી વાત શીખી છે.. તે છે પરિસીમન.
કંગનાએ કહ્યું કે અરે પ્રિયંકા ગાંધી જ્યારે છેલ્લે સીમાંકન હાથ ધરવામાં આવ્યું હતું. તો કોઇ બીજેપીની પ્રક્રિયા તો નથી. આ એક બંધારણીય પ્રક્રિયા છે. જે 11-11 વર્ષમાં થાય છે. 51માં થઇ અને 61માં થઇ અને 71માં થઇ. સોનિયા ગાંધીજી કહે છે કે આ લોકોને આટલી જલદી કેમ છે. તો શું તમારી જેમ થોડી હોવું જોઇએ કે જે 30 વર્ષ સુધી બિલને લટકાવીને રાખે.
હું એ વાતથી સહમત છું કે પીએમ મહિલાઓને ન્યાય અપાવવા માટે ઉતાવળ કરે છે. કારણ કે જે કામ 60 વર્ષમાં ન થયુ તે આગામી 10 વર્ષમાં જ કરી બતાવ્યું છે. અને આ ઉતાવળ કોઇ નવી નથી. જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારથી જ છે.
આ પણ વાંચો- દુનિયાનું સૌથી સ્ટ્રોંગ શેરબજાર કયા દેશનું ?










