ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પીએમ મોદીએ પોતે આ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તેમણે આ ફોન કોલ દરમિયાન નેપાળના Gen Z આંદોલન દરમિયાન થયેલી જાનહાનિ અને નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું.
નેપાળને ભારતનું પૂરૂં સમર્થન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પીએમ મોદીએ પોતે આ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તેમણે આ ફોન કોલ દરમિયાન નેપાળના Gen Z આંદોલન દરમિયાન થયેલી જાનહાનિ અને નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું. મહ્તવનું છે કે નેપાળમાં સોશિયલ મીડિયા બેનને લઇને ઝેન-ઝી વિરોધ પ્રદર્શન યોજાયુ હતુ. ત્યાર બાદ અનેક લોકો મોતને ભેટ્યા. ભારે પ્રદર્શનને કારણે કેપી ઓલી શર્માએ રાજીનામું આપ્યુ. અને હવે વચગાળાની સરકારમાં પીએમ તરીકે સુશીલા કાર્કી છે. પીએમ મોદીએ તેમની સાથે વિરોધ પ્રદર્શનની સ્થિતિ અને તેને લઇને વાતચીત કરી છે.













