વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રો સાથે ફોન પર વાતચીત કરી છે. આ બંને નેતાઓએ ભારત-ફ્રાન્સની વચ્ચે દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને પૂર્ણ કરવાના પ્રયત્નોમાં ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.


છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે

તેમને વધુમાં લખ્યું રાષ્ટ્રપતિ મેક્રોની સાથે સારી વાતચીત થઈ છે. અમે અલગ અલગ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા અને સકારાત્મક મુલ્યાંકન કર્યું. અમે યુક્રેનમાં સંઘર્ષને ઝડપી પૂર્ણ કરવાના પ્રયત્નો સહિત આંતરરાષ્ટ્રીય અને વિવિધ મુદ્દાઓ પર વિચારનું આદાન-પ્રદાન કર્યું. ભારત-ફ્રાન્સ રણનીતિક ભાગીદારી વૈશ્વિક શાંતિ અને સ્થિરતામાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને અબજો રૂપિયાનું નુકસાન વિશ્વના અનેક દેશોને તેના કારણે થઈ રહ્યું છે. વિશ્વભરમાં યુદ્ધના કારણે અનિશ્ચિતતા ફેલાયેલી છે.

ભારતના સહયોગનું હાર્દિક સ્વાગત કરીએ છીએ : રાષ્ટ્રપતિ ઝેલેન્સકી

બંને રાષ્ટ્રધ્યક્ષોની વચ્ચે ફોન પર આ વાતચીત થઈ છે. યૂરોપિયન કમિશનની પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન દ્વારા વડાપ્રધાન મોદી સાથે વાતચીત થયાના બે દિવસ બાદ બંને નેતાઓ સાથે વાતચીત થઈ છે. જેમાં તેમને કહ્યું હતું કે યુકેન અને રશિયાની વચ્ચે 3 વર્ષ કરતા વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તેને સમાપ્ત કરાવવા અને શાંતિ સ્થાપિત કરાવવા દબાણ કરાવવા માટે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વોન ડેર લેયેને કહ્યું હતું કે અમે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની સાથે ભારતના સહયોગનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. યુક્રેનમાં રશિયાને તેના આક્રમક યુદ્ધને પૂર્ણ કરવા અને શાંતિ સ્થાપિત કરાવવામાં મદદ કરવામાં ભારતની ભૂમિકા મોટી છે.  

  • Follow us on: