અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ટેરિફ યુદ્ધને લઈને રાજનીતિક માહોલ ગરમાયો છે. અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વોરની વચ્ચે ટ્રમ્પના નિવેદનો પણ ખાસ્સા ચર્ચામાં રહ્યા. ટ્રમ્પ ટેરિફ મુદે પીએમ મોદી..અને ભારતને લઈને બફાટ કરતા રહ્યા. અને તેની સામે ભારત તરફથી કોઈ પ્રત્ત્યુતર આપવામાં ના આવ્યો. ટ્રમ્પના ટેરિફના તીખા તેવર સામે ભારતનું મૌન અસર કરી ગયું.અને ટેરિફ... ટેરિફ..કરનાર ટ્રમ્પના તેવર નરમ પડયા.


ટેરિફ મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધમાં ખટરાગ

ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા. અનેક વખત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મુદ્દે વિવાદિત નિવેદનો આપી ચૂકયા છે. વારંવાર ઉશ્કેરણીજનક ટ્રમ્પના નિવેદનો બાદ ભારતે ખૂબ જ સંયમિત પ્રતિભાવ આપ્યો. ટ્રમ્પના બફાટ સામે પીએમમોદી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. પીએમ મોદી ટ્રમ્પ અને ટેરિફ મુદ્દે મૌન રહ્યા હતા. પરંતુ ભારતના વહીવટીતંત્રે ટેરિફ મુદ્દે અપ્રત્યક્ષરીતે કડક સંદેશ જરૂર આપ્યો હતો. અને હવે આ મૌનના સંદેશની અસર દેખાઈ. અને ટ્રમ્પ બાબાના તીખા તેવર બદલાયા. હાલમાં જ ટ્રમ્પે પીએમ મોદી સાથેના તેમના સંબંધોને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું.

ભારતની 'મૌન'ની વિદેશકૂટનીતિ, બદલાયા તેવર

ટ્રમ્પે ગુરુવારના રોજ પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભલે અત્યારે બંને દેશો વચ્ચે તણાવ છે. પરંતુ પીએમ મોદી અને હું મિત્રો હતા અને મિત્રો રહીશું. અને પીએમ મોદીએ પણ પણ ટ્રમ્પના શબ્દોનો સકારાત્મક જવાબ આપ્યો. તેમણે કહ્યું, 'હું રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓને માન આપું છું.' કેમ ટ્રમ્પના તેવર બદલાયા તેને લઈને વિશ્લેષકો કહે છે કે બીજી વખત સત્તામાં આવ્યા ટ્રમ્પ વધુ આક્રમક બન્યા છે. કારણ કે ચૂંટણીમાં તેમણે ટેરિફ મુદ્દાને વધુ વેગ આપ્યો હતો. આ મુદ્દાએ રાજદ્વારી સ્વરૂપ લીધું. ટ્રમ્પનો સૌથી મોટો રોષ બે મુદ્દાઓ પર હતો એક વેપાર કરાર અને બીજો ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે. ભારતે આ બંને મુદ્દાઓ પર મૌન રહેવાનું વધુ યોગ્ય માન્યું. ત્યારબાદ ઓપરેશન સિંદૂર સમયે પણ ટ્રમ્પ યશ ખાટવા પ્રયાસ કર્યો જેને ભારતે નકાર્યો હતો. ભારતની મૌન આ વિદેશ કૂટનીતિના કારણે આજે ટેરિફને લઈને ટ્રમ્પ નરમ પડયા.

  • Follow us on: