મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણી બાદ હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે જાતિ જનગણના અને સત્તામાં આવશે તો અનામતને 50 ટકાથી વધુ લઈ જવાનું વચન આપ્યું છે. જાતિના આધારે મત મેળવવાની આ રાજનીતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત રાજકીય પ્રહારો કરી રહ્યા છે.
જ્યાં આજે PMએ 'જો આપણે એક રહીશું તો સુરક્ષિત રહીશું'નું સૂત્ર આપ્યું છે, તો યોગી આદિત્યનાથ સતત કહી રહ્યા છે કે 'બટેંગે તો કટેંગે' અને 'એક રહીશું તો નેક રહીશું'નું સૂત્ર આપી રહ્યા છે.
અજિત પવારે યોગીના નારા પર સવાલો ઉઠાવ્યા
મહારાષ્ટ્રમાં યોગી આદિત્યનાથના 'બટેંગે તો કટેંગે' વાળા નારા પર હવે NDAના જ સાથી અજિત પવારે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. અજિત પવારે કહ્યું કે, મહારાષ્ટ્ર શિવાજી, આંબેડકર અને શાહુજી મહારાજની ભૂમિ છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે, બહારથી લોકો મહારાષ્ટ્રમાં આવીને આવા વિચારો બોલે છે, બીજા રાજ્યોના ભાજપના સીએમએ નક્કી કરવું જોઈએ કે તેમણે શું બોલવું છે.
અમારી પાર્ટીઓની વિચારધારા અલગ છેઃ અજિત પવાર
અજિત પવારે કહ્યું કે, અમે મહાયુતિમાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ, પરંતુ અમારી પાર્ટીઓની વિચારધારા અલગ છે. અમે બધા એક કોમન મિનિમમ પ્રોગ્રામ પર અમારી સરકાર ચલાવીએ છીએ. આ દેશના વિકાસ માટે કરવામાં આવી રહ્યું છે. આજે પણ આપણે શિવ શાહુ ફુલેના વિચારોને પર કાયમ છીએ. શક્ય છે કે આ અન્ય રાજ્યોમાં આ બધુ ચાલતું હોય, પરંતુ મહારાષ્ટ્રમાં તે કામ કરતું નથી. બીજા રાજ્યોના ભાજપના મુખ્યમંત્રીઓએ નક્કી કરવું જોઈએ કે શું બોલવું છે.
'બટેંગે તો કટેંગે' આ પંક્તિ ચોક્કસપણે ચાલશેઃ શિંદે જૂથના નેતા
શિવસેના (શિંદે જૂથ)ના નેતા સંજય નિરુપમે કહ્યું કે, યોગી આદિત્યનાથ કહી રહ્યા છે કે જો તમે અલગ થઈ જાઓ તો તમે નબળા થઈ જાવ છો. જો તમે સંગઠિત રહો છો, તો તમે મજબૂત રહેશો. તેમણે કહ્યું કે, અજીત દાદા આજે સમજી રહ્યા નથી, પછી સમજાશે. 'બટેંગે તો કટેંગે' આ પંક્તિ ચોક્કસપણે ચાલશે. અજીત દાદાએ સમજવું પડશે. સીએમ યોગી કંઈ ખોટું નથી બોલી રહ્યા, કેટલાક લોકોને આ સમજવામાં સમય લાગી શકે છે.
મહારાષ્ટ્રમાં ન કોઈ બટેંગે ન કોઈ કટેંગે: સંજય રાઉત
યુપીના સીએમ યોગી આદિત્યનાથના નિવેદન પર ઉદ્ધવ જૂથના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં આ બધું નહીં ચાલે. લોકસભામાં પણ કામ નહીં કરે. મહારાષ્ટ્રમાં ન કોઈ બટેંગે ન કોઈ કટેંગે. તેમણે કહ્યું કે, ભાજપ પોતે જ વિભાજિત થઈ ગઈ છે, એટલા માટે આખો દિવસ ભાગલા અને કાપવાની વાતો કરે છે. ભાજપનો પોતાનો પરિવાર એક નથી. ખુદ યોગી અને મોદીના પરિવારો વિભાજિત છે. આ લોકો શું બટેંગે અને કટેંગેની વાત કરે છે? મહારાષ્ટ્રની જનતા જાણે છે કે આ બધી ભાજપની ચાલ છે.
તેજસ્વીએ સીએમ યોગી પર સાધ્યું નિશાન
બીજી તરફ આરજેડી નેતા તેજસ્વી યાદવે સીએમ યોગીના 'બટેંગે તો કટેંગે'ના નારા પર કહ્યું કે, નફરતની રાજનીતિ કરનારાઓને જનતા જવાબ આપશે. અયોધ્યાનું પરિણામ શું આવ્યું? કદાચ ભાજપના લોકો આ ભૂલી ગયા છે. ભગવાન રામે અયોધ્યામાં ઈન્ડિયા બ્લોકને આશીર્વાદ આપ્યા હતા.