• નવા મંત્રીમંડળ સાથે PM મોદીએ મુલાકાત કરી
  • તમામ મંત્રીઓએ પદની જવાબદારી અને અનુભવો વર્ણવ્યા
  • પાયાના સ્તરે શાસનને વધુ મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમની મંત્રી પરિષદમાં પ્રથમ વખત નિયુક્ત રાજ્ય મંત્રીઓ સાથે મુલાકાત કરી. જે પછી PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેઓ તેમના સાથીદારોને મળ્યા જેઓ પ્રથમ વખત મંત્રી પરિષદમાં રાજ્ય મંત્રી બન્યા. તેમના અનુભવો અને આંતરદૃષ્ટિ સાંભળી કારણ કે તેમણે હમણાં જ તેમની મંત્રીપદની જવાબદારીઓ સંભાળી છે. તેમની સાથે પાયાના સ્તરે શાસનને વધુ મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી.


PM મોદી પહેલીવાર રાજ્ય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, તેઓ પહેલીવાર તેમના સાથીદારોને મળ્યા જેઓ મંત્રી પરિષદમાં રાજ્ય મંત્રી બન્યા. તેમના અનુભવો અને આંતરદૃષ્ટિ સાંભળ્યાં કારણ કે તેમણે હમણાં જ તેમની મંત્રીપદની જવાબદારીઓ સંભાળી છે. તેમની સાથે પાયાના સ્તરે શાસનને વધુ મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી.

જેડીયુ અને ટીડીપીના સાંસદો સાથે PMની મુલાકાત

આ પહેલા પીએમ મોદીએ ગુરુવારે જેડીયુના સાંસદો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વની પ્રશંસા કરી હતી. PM બુધવારે TDP સાંસદોને મળ્યા હતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાને એલજેપી સાંસદોને મળ્યા

પીએમ મોદીએ શુક્રવારે એનડીએના મુખ્ય ઘટક લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના સાંસદોને મળ્યા અને કહ્યું કે તેઓ ખુશ છે કે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાને લાયક સાબિત કર્યા છે અને તેઓ તેમના પિતાના સપનાને સાકાર કરશે. ચિરાગ પાસવાન એલજેપી (રામ વિલાસ)ના પ્રમુખ છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર છે.

  • Follow us on: