- જમ્મુ અને કાશ્મીરમાં PM મોદી ચૂંટણી રેલીને સંબોધિત કરશે
- મંત્રી જિતેન્દ્ર સિંહ આ બેઠક પરથી ત્રીજી વખત લડશે ચૂંટણી
- કોંગ્રેસે આ સીટ પર ભાજપ સામે ચૌધરી લાલ સિંહને મેદાનમાં ઉતાર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના કઠુઆ-ઉધમપુર લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવારોને સમર્થન મેળવવા માટે એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ આ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે આ સીટ પર ભાજપ સામે ચૌધરી લાલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
PM મોદી 12 એપ્રિલે ઉધમપુર શહેરમાં રેલીને સંબોધિત કરશે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં વડાપ્રધાનની આ ત્રીજી રેલી હશે. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ-ઉધમપુર લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવારોને સમર્થન મેળવવા માટે PM મોદીની ચૂંટણી રેલી ખુબ જ ખાસ માનવામાં આવી રહી છે. અગાઉ PM મોદીએ 20 ફેબ્રુઆરીએ જમ્મુના એમએ સ્ટેડિયમ ખાતે એક વિશાળ રેલી અને 7 માર્ચે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતે બીજી મેગા રેલીને સંબોધિત કરી હતી.













