50 વિમાનોનું યોજાયું ફ્લાય પાસ્ટ
ફ્લાય પાસ્ટમાં ભારતીય વાયુસેનાના 45 એરક્રાફ્ટ, ભારતીય નૌકાદળમાંથી એક અને ભારતીય સેનાના ચાર હેલિકોપ્ટરના શ્વાસ થંભાવી દેનારા દ્રશ્યો જોવા મળ્યા. આમાં રાફેલ, મિગ-29, સુ-30, સુખોઈ-30 એમકેઆઈ જગુઆર, સી-130, સી-17, ડોર્નિયર, ડાકોટા, એલસીએચ પ્રચંડ, અપાચે, સારંગ અને ડ્યુટી પાથ પર AEW&C જેવા જૂના અને આધુનિક એરક્રાફ્ટ/ હેલિકોપ્ટરનો સમાવેશ કરાયો છે. પ્રચંડ, તિરંગા, ટાંગેલ, વજરંગ, ગરુડ, ભીમ, અમૃત અને ત્રિશુલ સહિત અનેક સ્વરૂપોમાં ઉડીને આકાશમાં બાજ ગર્જના કરે છે. વર્ટિકલ ચાર્લી યુદ્ધાભ્યાસ રાફેલ ફાઈટર એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
નારીશક્તિ થીમ પર કરાયું નૃત્ય પ્રદર્શન
પ્રજાસત્તાકની ઉજવણીમાં નારીશક્તિને મહત્ત્વ અપાયું અને આ સાથે સેનાનું શૌર્ય અને પરાક્રમ પણ જોવા મળ્યું. વિવિધ રાજ્યોની ઝાંખીએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.
જમ્મૂ કાશ્મીરની ઝાંખીમાં અમરનાથ ગુફાની ઝલક મળી જોવા
કર્તવ્ય પથ પર પીએમ મોદીએ ગુજરાતના ટેબ્લોને તાળીઓથી વધાવ્યો
કર્તવ્ય પથ પર જોવા મળ્યો ભારતનો વૉર પાવર
આકાશ મિસાઈલ ભારતની સૌથી ખતરનાક સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલોમાંથી એક છે. આકાશ પ્રાઇમ સ્વદેશી સક્રિય RF શોધકથી સજ્જ છે, જે દુશ્મનના લક્ષ્યોને ઓળખવાની ચોકસાઈ વધારે છે. આકાશ-એનજી એટલે કે આકાશ ન્યુ જનરેશન મિસાઈલનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આકાશ-એનજી સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે. તે ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવ્યું છે. તેની રેન્જ 40 થી 80 કિલોમીટર છે. વધુમાં તેમાં એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ એરે મલ્ટી ફંક્શન રડાર (MFR) છે જે એકસાથે અનેક દુશ્મન મિસાઈલો અથવા એરક્રાફ્ટને સ્કેન કરી શકે છે. હાલમાં ભારતમાં આકાશના ત્રણ પ્રકારો છે - પ્રથમ આકાશ MK - તેની રેન્જ 30KM છે. બીજું આકાશ Mk.2 - તેની રેન્જ 40KM છે. તેમની સ્પીડ 2.5 મૈક એટલે કે 3087 કિલોમીટર પ્રતિ કલાક છે.
મિસ્રની ટુકડી પણ થઈ પરેડમાં સામેલ
ઈજિપ્તના 120 લોકો પરેડમાં થશે સામેલ
વિવિધ મંત્રાલયની 6 ઝાંખી સાથે કુલ 23 ઝાંખી રજૂ થશે. 90 મિનિટનો કાર્યક્રમ રહેશે અને 141 યુવા સૈનિકો પરેડમાં સામેલ થશે. અનેક વિભાગોની ટીમ ભાગ લેશે. પરેડનું મુખ્ય આકર્ષણ પૂર્વ સૈનિકોની ઝાંખી રહેશે. આ વખતે ભારતીય તોપ 21 તોપોની સલામી આપશે. આ પહેલા આ સલામી બ્રિટનની તોપ આપતી હતી. આ વખતે ભારતની સ્વદેશી 105 એમએમ તોપ સલામી આપશે. આ તોપ જબલપુર અને કાનપુરમાં બની છે.
કર્તવ્યપથ પર રચાયો ઈતિહાસ
આ વખતે પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ ઈતિહાસ બની ગયો. દેશમાં પ્રથમ વખત આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરેડની સલામી લીધી હતી. પરંપરા મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ 21 તોપોની સલામી સાથે રાષ્ટ્રગીત રજૂ કરાયું હતું. પ્રથમ વખતે 105 એમએમની ભારતીય ફીલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ ફિલ્ડ ગન્સે બ્રિટિશ સમયની 25 પાઉન્ડર બંદૂકોનું સ્થાન લીધું, જે સંરક્ષણ ક્ષેત્રમાં વધતી જતી 'સ્વ-નિર્ભરતા'ને પ્રતિબિંબિત કરે છે. 105 હેલિકોપ્ટર યુનિટના 4 Mi-17 1V/V5 હેલિકોપ્ટર કર્તવ્યપથ પર ફૂલોની વર્ષા કરે છે.
મિસ્રના પીએમ સાથે કર્તવ્ય પથ પહોંચ્યા રાષ્ટ્રપતિ મૂર્મૂ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ ઇજિપ્તના રાષ્ટ્રપતિ બેદલ ફતહ અલ-સીસી સાથે કર્તવ્યપથ પહોંચ્યા છે. આજે ઈતિહાસ રચાયો છે કે જ્યારે પહેલી વાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ પરેડની સલામી લીધી છે.
નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા PM મોદી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહીદોને આપી શ્રદ્ધાંજલિ. રાજનાથ સિંહ પણ અહીં હાજર રહ્યા હતા.
રાજ્યમાં અનેક જગ્યાઓએ 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગર, બોટાદ, વડોદરા સહિત ધ્વજવંદન કરવામાં આવ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મંત્રી ઋષિકેશ પટેલ પણ સામેલ થયા હતા. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું છે. આ દિવસે રૂ.298 કરોડનાં વિકાસ કાર્યોના લોકાર્પણ કરાયા છે અને સાથે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે.