• સ્કીલ ઈન્ડિયાએ 1.4 કરોડ યુવાનોને તાલીમ આપી
  • 15 ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ
  • આરોગ્ય ક્ષેત્રે વધુ મેડીકલ કોલેજો બનાવવામાં આવશે

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું વચગાળાનું બજેટ રજૂ કર્યું. ચૂંટણીનું બજેટ હોવાથી તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. આ બજેટમાં મેડિકલ ક્ષેત્રના ચાલી રહેલા વિકાસને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. આ અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સ્કીલ ઈન્ડિયાએ 1.4 કરોડ યુવાનોને તાલીમ આપી છે.

વધુ મેડિકલ કોલેજો સ્થાપવાની યોજના ધરાવે

બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ડૉક્ટર બનવુ એ ઘણા યુવાનોની મહત્વાકાંક્ષા છે. તેમનો ઉદ્દેશ્ય બહેતર આરોગ્ય સંભાળ સેવાઓ દ્વારા આપણા લોકોની સેવા કરવાનો છે. અમારી સરકાર વિવિધ વિભાગો હેઠળ હાલની હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કોલેજો સ્થાપવાની યોજના ધરાવે છે. આ હેતુ માટે, કેસોની તપાસ કરવા અને સંબંધિત ભલામણો કરવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવશે.

7 IITs, 16 IIITs અને 15 AIIMS

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિએ શિક્ષણ ક્ષેત્રમાં ઘણા ફેરફારો કર્યા છે. પીએમ શ્રી સ્કૂલ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. જો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો 7 IIT, 16 IIIT, 7 IIM, 16 AIIMS અને 390 યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે વિવિધ યોજનાઓ દ્વારા યુવાનોને રોજગાર ક્ષેત્રે પણ મદદ કરવામાં આવી રહી છે. સ્ટાર્ટ-અપ ગેરંટી સ્કીમ, ફંડ ઓફ ફંડ્સ અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળ યુવાનોને રોજગાર મેળવવામાં ઘણી મદદ કરી.નવી સરકાર દ્વારા સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે

કેન્દ્રીય નાણામંત્રીએ છઠ્ઠું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ 2024 રજૂ કર્યું છે. આ વચગાળાનું બજેટ લોકસભાની ચૂંટણી પહેલાં નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ કેન્દ્રીય નાણામંત્રીએ છઠ્ઠું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. ચૂંટણી બાદ સત્તામાં આવનારી નવી સરકાર દ્વારા સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. વચગાળાનું બજેટ એ ટૂંકા ગાળાની નાણાકીય યોજનાને દર્શાવે છે. જે નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા એડવાન્સ ગ્રાન્ટ માટે સંસદની મંજૂરી માટે હોય છે. 

સ્કિલ ઈન્ડિયાએ 1.4 કરોડ યુવાનોને તાલીમ

નાણામંત્રીએ કહ્યું કે, સ્કિલ ઈન્ડિયાએ 1.4 કરોડ યુવાનોને તાલીમ આપી છે. વચગાળાના બજેટમાં શિક્ષણ ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમની સિદ્ધિને રજૂ કરી હતી અને યુવાનોની કારકિર્દીમાં વધુ સુધારો કરવામાં આવેશે તેમ જણાવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વચગાળાના બજેટ 2024માં વિવિધ ક્ષેત્રોની આવક અને ખર્ચ વિશે માહિતી આપી હતી, જેમાં સરકારે શિક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓની પણ યાદી આપી હતી.

  • Follow us on: