રામભદ્રાચાર્યએ કહ્યું કે, તિરુપતિ બોર્ડમાં ફેરફાર થવો જોઈએ. આ ઉપરાંત હું એવા લોકોને આશીર્વાદ આપું છું જેમણે મહારાષ્ટ્રમાં હિન્દુ સનાતન  ધર્મ માટે કામ કરતી સરકારને ચૂંટ્યા છે.


જગતગુરુ રામભદ્રાચાર્યએ તિરુપતિ બાલાજી મંદિરના લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગના મુદ્દે તેમની પ્રતિક્રિયા આપી છે. રામભદ્રાચાર્યએ કહ્યું કે, તિરુપતિ તિરુમાલા મંદિરમાં પ્રસાદમાં ભેળસેળથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અન્ય ધર્મોની સંસ્કૃતિ હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડી રહી છે. અન્ય ધર્મોએ સનાતનની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે.

રામભદ્રાચાર્યએ વધુમાં કહ્યું કે, આવનારા સમયમાં એક સનાતન બોર્ડ હશે જે તમામ મંદિરોનું નિયંત્રણ કરશે. આ અપમાનનો બદલો લેવામાં આવશે, બદલો કેવી રીતે લેવામાં આવશે તે સમય જ જણાવશે. આ અંગે અમારી તૈયારીઓ ચાલી રહી છે. આ એક મોટું ષડયંત્ર છે. તેમણે ફરી પુનરોચ્ચાર કર્યો કે, હિન્દુ સનાતન બોર્ડની રચના કરવામાં આવશે.

મહારાષ્ટ્રની શિંદે સરકારને આશીર્વાદ આપ્યા

જગતગુરુ રામભદ્રાચાર્યએ પણ તિરુપતિ બોર્ડમાં ફેરફારની વાત કરી હતી. તેમણે કહ્યું કે બોર્ડમાં ફેરફાર થવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું, "હું મહારાષ્ટ્રમાં હિન્દુ સનાતન ધર્મ માટે કામ કરતી સરકારને ચૂંટનારને આશીર્વાદ આપું છું. હાલમાં જે સત્તામાં છે તે (શિંદે) ચૂંટાયા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, "પીએમે કહ્યું કે કોંગ્રેસ સાથે છેડો ફાડવો જોઈએ. ટુકડે ગેંગ ચલાવી રહી છે, હું તેમની સાથે સંમત છું. પીએમ સાચા છે.

  • Follow us on: