• ઉત્તરાખંડમાં વરસાદી આફત
  • જનજીવન થયુ અસ્તવ્યસ્ત
  • ગંગા નદીએથી યાત્રીઓને કરવામાં આવ્યા દૂર

ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યુ છે. 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. ત્યારે ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં સતત થયેલા વરસાદે પગલે ગંગા નદીનું જળસ્તર વધ્યુ છે. પરિણામે ઋષિકેશ નજીક તમામ યાત્રીઓને ગંગા નદીથી દૂર હટાવવામાં આવ્યા છે. આ માટે એસડીઆરએફ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી રહી છે.

ગંગા નદીના જળસ્તરમાં વધારો

સતત વરસાદને કારણે ઋષિકેશમાં નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. પરિણામે એસડીઆરએફ દ્વારા લોકોને જાણ કરીને ગંગા નદી કિનારે દૂર કરવામાં આવી રહ્યા છે. ઘાટ પર પહોંચેલા તમામ શ્રદ્ધાળુઓને અહીંથી હટાવવામાં આવી રહ્યા છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. મહત્વનું છે કે પહાડોમાં સતત વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો થવા લાગ્યો છે.

જિલ્લા તંત્ર એલર્ટ

ઉત્તરાખંડમાં હવામાન વિભાગની ચેતવણી બાદ ઉત્તરાખંડ સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું છે. આ ક્રમમાં હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદીના કિનારે આવેલા ઘાટ પરથી શ્રદ્ધાળુઓને હટાવવાની જાહેરાતો કરવામાં આવી રહી છે. SDRFના કર્મચારીઓ સતત લોકોને અહીંથી ખસી જવાની સૂચના આપી રહ્યા છે. કારણ કે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે.


  • Follow us on: