યુપી વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યુ છે. ત્યારે આજે સત્ર દરમિયાન સીએમ યોગીએ યુવાઓના વિષય પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે સરકાર યુવાઓના હિતમાં કામ કરી રહી છે. સીએમ યોગીએ પ્રિયંકાગાંધીની બેગ પર પણ નિશાન તાક્યું હતું.
સીએમ યોગીએ વિપક્ષ પર કર્યા વાર
સીએમ યોગીએ અનામતના નિયમો અને નોકરીઓ મળવા અંગે કહ્યું કે વિપક્ષ તરફથી જણાવવામાં આવેલા આંકડા સાચા નથી. બેઝિક વિભાગના 69 હજાર શિક્ષકોને 4 વર્ષ પહેલા નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે અને તેઓ પણ શાળાઓમાં ભણાવી રહ્યા છે. B.Ed અને BTC ઉમેદવારો પણ આજે ભણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે સેવાઓને નાબૂદ કરી હતી તેને પણ સરકારે માનદ વેતન આપીને જાળવી રાખી છે. માધ્યમિક શિક્ષણ પરિષદના કમિશન દ્વારા પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. શિક્ષણની એકંદર પસંદગી માટે શિક્ષણ પસંદગી બોર્ડની રચના કરવામાં આવી છે. શિક્ષણ વિભાગમાં 1 લાખ 60 હજાર લોકોની ભરતી કરવામાં આવી છે.
આ તે ભરતીઓ છે જે અગાઉની સરકારથી અટકી હતી. પોલીસ દળમાં 1 લાખ ભરતી પણ કરવામાં આવી છે. 60 હજારથી વધુ ભરતી હજુ ચાલુ છે. અત્યાર સુધીમાં વિવિધ વિભાગોમાં 7 લાખથી વધુ સરકારી નોકરીઓ આપવામાં આવી છે.
પ્રિયંકા ગાંધી પર ટોણો
તો બીજી તરફ વિપક્ષી સાંસદ પેલેસ્ટાઈનની બેગ લઈને સદનમાં આવ્યા હતા. આ અંગે તેમણે કટાક્ષ કર્યો કે અમે યુપીના યુવાનો માટે ઇઝરાયેલમાં નોકરી અપાવી રહ્યા છીએ. સીએમએ કહ્યું કે તેઓ ઈઝરાયેલના રાજદૂતને મળ્યા હતા. તેમણે કહ્યું કે અમે યુપીના યુવાનોને ઈઝરાયલ લઈ જવા માંગીએ છીએ. કારણ કે એ લોકો સારું કામ કરી રહ્યા છે. આવા યુવાનોને આપણે અભિનંદન આપવા જોઈએ. કારણ કે તેઓ રાજ્યના વિકાસમાં પણ યોગદાન આપી રહ્યા છે. યુપીના 5 હજારથી વધુ યુવાનો ઈઝરાયેલ ગયા છે, જેમને દર મહિને 1.5 લાખ રૂપિયા મળે છે. તેમણે કહ્યું કે જ્યારે દેશ રાજ્યમાંથી યુવાનોને નોકરી માટે ઈઝરાયેલ મોકલી રહ્યો છે, ત્યારે વાયનાડના સાંસદ પેલેસ્ટાઈનને સમર્થન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં કોગ્રેસનું નેતૃત્વ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓથી દૂર રહે છે.













